For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કિડનીને સ્વસ્થ રાખવા માટે આહારમાં આ ખોરાકનો કરો સમાવેશ

08:00 AM Apr 17, 2025 IST | revoi editor
કિડનીને સ્વસ્થ રાખવા માટે આહારમાં આ ખોરાકનો કરો સમાવેશ
Advertisement

કિડનીના સ્વસ્થ રાખવા માટે પોષ્ટીક ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે યોગ્ય આહારનું પાલન કરો છો, તો કિડનીને ઘણી હદ સુધી સ્વસ્થ રાખી શકાય છે.

Advertisement

આદુ: આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તેમાં રહેલા ગુણધર્મો ચેપ સામે લડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

સફરજન : સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ બંને તત્વો કિડની પર બોજ વધારી શકે છે, તેથી સફરજનનું સેવન ફાયદાકારક છે.

Advertisement

બેરી : બેરીમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે કિડનીના કોષોને નુકસાનથી બચાવે છે. ખાસ કરીને ક્રેનબેરી યુટીઆઈને રોકવામાં અસરકારક માનવામાં આવે છે.

દૂધી : દૂધીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીને ડિટોક્સિફાઇ કરવામાં મદદ કરે છે. તે પેશાબનું ઉત્પાદન પણ વધારે છે અને કિડનીને સ્વચ્છ રાખે છે.

ફૂલકોબી (ફુલાવર): ફૂલકોબીમાં ફાઇબર, વિટામિન સી અને ફોલેટ હોય છે જે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. તે શરીરમાં યુરિક એસિડનું સ્તર સંતુલિત રાખે છે.

નાળિયેર પાણી : પૂરતા પ્રમાણમાં પાણી પીવું સૌથી મહત્વપૂર્ણ છે. તે કિડનીને ફ્લશ કરે છે અને પથરી બનવાની શક્યતા ઘટાડે છે. નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરે છે.

Advertisement
Tags :
Advertisement