For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત ઉપર હવે આતંકી હુમલો થશે તો યુદ્ધ માનવામાં આવશે, ભારતનો પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત

05:32 PM May 10, 2025 IST | revoi editor
ભારત ઉપર હવે આતંકી હુમલો થશે તો યુદ્ધ માનવામાં આવશે  ભારતનો પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત
Advertisement

નવી દિલ્હીઃ પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસો વચ્ચે, ભારત સરકારે શનિવારે એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકાર વતી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપતાં કહેવામાં આવ્યું છે કે જો ભારતમાં કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે. ટોચના સરકારી સૂત્રોએ કહ્યું છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે. આ સાથે, આવી કોઈપણ કાર્યવાહીનો યોગ્ય રીતે જવાબ આપવામાં આવશે.

Advertisement

સરકારના નિર્ણયથી સ્પષ્ટ છે કે જો પાકિસ્તાન દ્વારા ભારતમાં કોઈપણ પ્રકારનો આતંકવાદી હુમલો કરવામાં આવશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે અને તેનો જવાબ તે જ ભાષામાં આપવામાં આવશે. 22 એપ્રિલ, 2025 ના રોજ, પહેલગામ આતંકવાદી હુમલામાં, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી જૂથ, TRF ના આતંકવાદીઓએ 26 ભારતીયો અને 1 નેપાળી નાગરિકને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા. આ હુમલા પછી, દેશભરમાં પાકિસ્તાન સામે ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો.

ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરીને આતંકીઓના અડ્ડા ઉપર હુમલા કરવામાં આવ્યાં છે. બીજી તરફ છેલ્લા 3 દિવસથી રાત્રિના સમયે પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદમાં ડ્રોન વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જો કે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના ત્રણેય પ્રમુખો સાથે બેઠક કરી હતી. તેમજ સરહદની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. 

Advertisement

Advertisement
Tags :
Advertisement