હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

હિંદુ સમાજે હવે જાગૃત થવું જ પડશેઃ મોહન ભાગવત

03:17 PM May 30, 2025 IST | revoi editor
Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, હિંદુ સમાજે હવે જાગૃત થવું જ પડશે, આપણા તમામ ભેદ અને સ્વાર્થ ભૂલીને હિંદુત્વના શાશ્વત ધર્મમૂલ્યોના આધારે પોતાના વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આજીવિકાના જીવનને આકાર આપીને, એક સામર્થ્યસંપન્ન, નીતિસંપન્ન તથા તમામ પ્રકારના વૈભવથી સંપન્ન ભારત ઉભુ કરવું પડશે, કારણ કે વિશ્વને નવા માર્ગની પ્રતીક્ષા છે અને તે માર્ગ આપવો તે ભારતનું એટલે કે હિંદુ સમાજનું ઈશ્વરે સોંપેલુ કર્તવ્ય છે. કૃષિ-ક્રાંતિ થઈ ગઈ, ઉદ્યોગ ક્રાંતિ થઈ ગઈ, વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્રાંતિ થઈ ગવે, હવે ધર્મક્રાંતિની આવશ્યકતા છે. હું રિલીજનની વાત નથી કરી રહ્યો. સત્ય, શુચિતા, કરુણા તેમજ તપસના આધારે માનવજીવનની પુનઃરચના થાય, તેની વિશ્વને આવશ્યકતા છે અને ભારતનું તેનું પથપ્રદર્શક બની રહે તે અપરિહાર્ય છે. સંઘકાર્યના મહત્વને આપણે સમજીએ. હું અને મારો પરિવારના દાયરામાં બહાર આવીને અને આપણા જીવનને ઉદાહરણ બનાવીને, સક્રિય થઈને આપણે સૌએ સાથે મળીને આગળ વધવું જોઈએ.

Advertisement

સંઘની ૧૦૦ વર્ષની યાત્રાને લઈને મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, ડૉ. હેડગેવારજીએ સંઘનું કાર્ય બહુ સમજી - વવચારીન શરૂ કર્યું હતું. દેશ સામ જે મશ્કલીઓ જોવા મળી રહી છે, તે માટે કયા ઉપાયો અજમાવવા જોઇએ તે પ્રયોગોના આધાર નિશ્ચિત કરવામાં આવ્યું અને ત ઉપાય કારગર નિવડયા. સંઘની કાર્યપદ્ધતિથી કામ થઇ શકે છ અને માર્ગમાં આવનારી બધી બાધાઓને પાર કરીને સંઘ આગળ વધી શકે છે, તે અનુભવથી સિદ્ધ થવાને ૧૯૫૦ સધીનો સમય લાગી ગયો. તે પછી સંઘનો દેશવ્યાપી વિસ્તાર અને તેના સ્વયંસેવકોનું સમાજમાં અભિસરણ (રૂધિરાભિસરણ એટલે હૃદય દ્વારા શરીરમાં રૂધિર (રક્ત)નું અભિસરણ, આ અર્થમાં અભિસરણ શબ્દ પ્રયોજાયલો છે.) શરૂ થયું. પછીના ચાર દાયકાઓ સુધી સંઘના સ્વયંસવકોએ સમાજજીવનના અન્યાન્ય ક્ષેત્રોમાં ઉત્તમ રીતે કાર્ય કરતાં, પોતાના કર્તૃત્વ, અપનત્વ અન ચારિત્ર્યના આધાર સમાજનો વિશ્વાસ સંપાદિત કર્યો. ૧૯૯૦ પછી આ વિચાર તેમજ ગુણસંપદાના આધારે દેશ ચલાવી શકાય છે, તે સિદ્ધ કરી બતાવ્યું. હવે આની આગળ અમારા માટ કરણીય કાર્ય એ છે કે, આ જ ગુણવત્તા તથા વિચારો પર અવલંબન રાખીને સમગ્ર સમાજ તમામ ભદભાવો ભૂલીને પ્રમાણિકતા તથા નિસ્વાર્થ બુદ્ધિથી દેશ માટે સ્વયં કાર્ય કરે અને દેશને મહાન બનાવે.

૧૦૦ વર્ષની આ યાત્રાના મહત્ત્વપૂર્ણ પડાવને લઈને વધુમાં જણાવ્યું હતું કે, સંઘ પાસે કશું જ નહોત! વિચારની માન્યતા નહોતી, પ્રચારનું સાધન નહોતું. સમાજમાં ઉપક્ષે અને વિરોધ માત્ર હતો. કાર્યકર્તા પણ નહોતા. સંગણક (કોમ્પ્યુટર)માં આ માહિતી નાંખી (Feed કરી) હોત તો તેણ આ જાણકારી આપતાં ત્યારે તે ભવિષ્યવાણી કરી હોત કે, આન જન્મતાંવેંત મૃત્યુ થશે, પરંતુ દેશ વિભાજન વખત હિન્દુઓના રક્ષણની કસોટીમાંથી અને સંઘ પર પ્રતિબંધ જેવી કઠિન વિપત્તિઓમાંથી સંઘ સફળ થઇ બહાર નીકળ્યો. અને ૧૯૫૦ સધીમાં એ સિદ્ધ થઈ ગયું કે, સંઘનું કામ ચાલશે અને આગળ પણ વધશે. આ પદ્ધવતથી હિંદુ સમાજને સંગઠિત કરી શકાય છ. એ પછી સંઘનો પહેલાં કરતાં પણ વધારે વિસ્તાર થઈ ગયો. આ સંઘશક્તિનું મહત્ત્વ, ૧૯૭૫ના કટોકટી કાળમાં સંઘની જે ભૂમિકા રહી તેના કારણે સમાજના ધ્યાનમાં આવ્યું. આગળ જતા એકાત્મતા રથયાત્રા, કાશ્મીરના સંબંધમાં સમાજમાં જન-જાગરણ તથા શ્રીરામ જન્મભૂમિમુક્તિ આંદોલન તેમજ વિવેકાનંદ સાર્ધશતિ જેવાં અભિયાનોના માધ્યમોથી તેમજ સેવાકાર્યોના પ્રચંડ વિસ્તારથી સંઘવિચાર તથા સંઘ પ્રત્યે વિશ્વસનીયતાનો ભાવ સમાજમાં વ્યાપક રીત વિસ્તારિત થયો.

Advertisement

૧૯૪૮ અને ૧૯૭૫માં સંઘ પર જે સંકટ આવ્યાં તે મામલે તેમણે જણાવ્યું હતું કે, આ બંને પ્રતિબંધો લાદવા પાછળ રાજકારણ હતું. પ્રતિબંધ લગાવનારા પણ જાણતા હતા કે, સંઘથી કોઈ નુકસાન નથી, પરંતુ સંઘથી લાભ જ છે. આટલા મોટા સમાજમાં સ્વાભાવિક રીતે જ ચાલતી વિચારોની પ્રતિસ્પર્ધામાં પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરનારા સત્તારૂઢ લોકોએ સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પહેલા પ્રતિબંધ વખતે બધી વાતો સંઘની વિરુદ્ધમાં હતી. સંઘ સમાપ્ત થવામાં હતો, પરંતુ બધી વિપરીતતાઓ છતા પણ સંઘ તે પ્રતિબંધોમાંથી બહાર આવ્યો અને આગળ ૧૫-૨૦ વર્ષમાં પૂર્વવત થઇને પહેલા કરતા પણ આગળ વધી ગયો. સંઘના સ્વયંસેવકો, જે માત્ર શાખાઓ ચલાવતા હતા અને સમાજના ક્રિયાકલાપોમાં મોટી ભૂમિકા નહોતા ભજવતા - તેઓ સમાજના અન્યાન્ય ક્રિયાકલાપોમાં સહભાગી થઈને ત્યાં પોતાની ભૂમિકા સુનિશ્ચિત કરવા લાગ્યાં હતા. ૧૯૪૮ના પ્રતિબંધથી સઘને એ લાભ થયો કે, અમ અમારા સામર્થ્યને જાણ્યું અ સમાજ તથા વ્યવસ્થાઓમાં પરિવર્તન લાવવા માટેની યોજના બનાવીને સ્વયંસેવકો આગળ આવ્યા.

સંઘના વિચારમાં પહેલાથી જ નિર્ધારિત હતું કે, સંઘનું કાર્ય માત્ર એક કલાકની શાખા સુધી મર્યાદિત નથી, પરંતુ બાકીના ૨૩ કલાકમાં પોતાના વ્યક્તિગત, પારિવારિક, સાર્વજનિક તથા આજીવિરકાના ક્રિયાકલાપોમાં સંઘના સંસ્કારોની અભિવ્યક્તિ પણ કરવાની છે.

આગળ જતાં, ૧૯૭૫ના પ્રતિબંધમાં સમાજે સંઘના વધેલા વ્યાપની શક્તિનો અનુભવ કર્યો. જ્યારે સારા સારા લોકો નિરાશ થઇને બસી ગયા હતા ત્યારે સામાન્ય સ્વયંસેવક પણ - આ સંકટ જતું રહેશે અને આપણ સૌ સલામત રીત બહાર આવી જઇશું, તેવું વિશ્વાસપૂર્વક વિચારતો હતો. ૧૯૭૫ના કટોકટીકાળમાં પોતાની ઉપર લાદેલા પ્રતિબંધને મદ્દો ન બનાવતા સંઘ પ્રજાતંત્રની રક્ષા માટ કાર્ય કર્યું, સંઘ પર ટીકા-ટીપ્પણી કરનારાઓને પણ સાથ આપ્યો. તે સમયે સમાજમાં, વિશેષ કરીને સમાજના વિચારશીલ લોકોમાં એક વિશ્વાસપાત્ર વૈચારિક ધ્રુવ જેવુ સંઘનું સ્થાન બન્યું. કટોકટીકાળ પછી સંઘ અનકગણો વધારે શક્ક્તશાળી બનીને બહાર આવ્યો.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article