For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

એશિયા કપમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવા માટે હરભજનસિંહે ટીમ ઈન્ડિયાને કરી અપીલ

02:46 PM Aug 13, 2025 IST | revoi editor
એશિયા કપમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવા માટે હરભજનસિંહે ટીમ ઈન્ડિયાને કરી અપીલ
Advertisement

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને હવે 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપ 2025 ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. આ ટુર્નામેન્ટમાં, તેને 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ના રમે તેવુ મોટાભાગના ભારતીયો ઈચ્છી રહ્યાં છે. દરમિયાન ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે આ મેચ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પાકિસ્તાન સામે ન રમવા માટે અપીલ કરી છે. તેમજ કહ્યું છે કે, દેશ પહેલા આવે છે તેની સામે કંઈ ના આવે.

Advertisement

હરભજન સિંહે કહ્યું, "બીસીસીઆઈએ સમજવું જોઈએ કે શું મહત્વનું છે અને શું નથી. આ ખૂબ જ સરળ વાત છે. મારા માટે, આપણા દેશના જે જવાનો સરહદ પર ઉભા છે, તેમના પરિવારો જે તેમને ઘણી વખત જોઈ શકતા નથી, તેઓ શહીદ થાય છે, તેઓ ઘરે પાછા ફરી શકતા નથી. તેઓ આપણા બધા માટે આટલું મોટું બલિદાન આપે છે. તો આ ખૂબ જ નાની વાત છે, મારા માટે, આ ખૂબ જ નાની કિંમત છે. આપણી સરકારનું પણ એવું જ વલણ છે કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી. સરહદ પર લડાઈ હોય, બંને દેશો વચ્ચે તણાવ હોય અને આપણે તેમની સાથે ક્રિકેટ મેચ રમવા જઈએ તે શક્ય નથી."

હરભજન સિંહે આગળ કહ્યું, “જ્યાં સુધી આ મોટા મુદ્દાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી ક્રિકેટ ખૂબ જ નાની વસ્તુ છે. દેશ હંમેશા પહેલા આવે છે. આપણી ઓળખ દેશ સાથે છે, પછી ભલે આપણે ખેલાડીઓ હોઈએ, અભિનેતા હોઈએ કે બીજું કોઈ. દેશ પહેલા આવે છે અને આપણે આ દેશ પ્રત્યેની આપણી ફરજો નિભાવવી પડશે. ક્રિકેટ મેચ ન રમવી એ ખૂબ જ નાની વાત છે. આપણા ભાઈઓ સરહદ પર ઉભા છે, જે આપણી રક્ષા કરી રહ્યા છે, આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે. તેમની હિંમત જુઓ, તેઓ ત્યાં આટલા મોટા હૃદયથી ઉભા છે.”

Advertisement

22 એપ્રિલ, 2025 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જે પાકિસ્તાન સાથે જોડાયેલો હતો. આ હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી, ભારતે પણ આનો યોગ્ય જવાબ આપ્યો અને ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં ઘણી જગ્યાઓ તબાહ કરી દીધી. ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડીઓ આ હુમલાથી બિલકુલ ખુશ નહોતા અને જ્યારે તેમને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે મેચ રમવાની હતી, ત્યારે તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. યુવરાજ સિંહ એન્ડ કંપનીએ પહેલા લીગ સ્ટેજ મેચમાં પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો અને પછી તેમણે સેમિફાઇનલમાં પણ આ જ નિર્ણય લીધો હતો. પાકિસ્તાન ચેમ્પિયન્સના ખેલાડીઓ ઈન્ડિયા ચેમ્પિયન્સના આ નિર્ણયથી ખુશ નહોતા. હરભજન સિંહ ઉપરાંત, ઘણા અન્ય અનુભવી ખેલાડીઓએ એશિયા કપ 2025 મેચ અંગે મોટું નિવેદન આપ્યું છે.

Advertisement
Tags :
Advertisement