હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 118 તાલુકામાં વરસાદ, અમીરગઢમાં 5 ઈંચ

03:22 PM Jun 22, 2025 IST | revoi editor
Advertisement

 અમદાવાદઃ ગુજરાતમાં આજે  બપોરે 2 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરાસદ પડ્યો હતોય જેમાં બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં નવલારીના ગણદેવી, વલસાડના કપરાડા, જુનાગઢના વિસાવદર, રાજકોટના જેતપુર, સુરતના કામરેજ, સાબરકાંટાના ખેડબ્રહ્મા સહિત 118  તાલુકામાં વરસાદ પડ્યો છે.

Advertisement

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 6 જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠાના વડાલીમાં 24 કલાકમાં 12 ઇંચ તો ખેડબ્રહ્મામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે.

સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. નઘોઈ, કીમ, મૂળદ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. માણાવદર તાલુકાના 25થી વધુ ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

Advertisement

પાવી જેતપુરના શિહોદ પાસે ભારજ નદી પરના ડાયવર્ઝન પર ગતરાત્રિએ મોટી તિરાડ પડી જતા કાયમ માટે ડાયવર્ઝન બંધ કરવું પડ્યું છે. નેશનલ હાઈવે 56 પર શિહોદ પાસે ભારજ નદી પરના રૂ.4 કરોડના ખર્ચે બનાવાયેલ ડાયવર્ઝન પર ગઈકાલે ભુવો પડ્યો હતો,અને તંત્ર દ્વારા તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરાયો હતો,બીજી બાજુ ગઈકાલે સુખીડેમમાંથી બીજો ગેટ ખોલીને વધુ 1 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.અને કુલ 2 હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડતા પાણીની આવક વધતા ડાયવર્ઝન પર મોટી તિરાડ પડી હતી,જેને લઇને આ ડાયવર્ઝન કાયમ માટે બંધ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જો વધુ વરસાદ પડશે અને ભારજ નદીમાં પાણીનું પ્રમાણ વધશે તો આગામી દિવસોમાં ડાયવર્ઝન તૂટી જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકોને 40 કિમી ફરીને જવું પડશે.

આજે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. માત્ર 2 કલાકમાં જ 5 ઈંચ વરસાદ ખાબકી જતાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 16 જિલ્લામાં તેમજ દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ કચ્છ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર સહિત વિવિધ જિલ્લામાં NDRFની 12 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે 24થી 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ પડશે.

Advertisement
Tags :
5 inches in AmirgarhAajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrain in 118 talukasSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article