હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જીએસટી દ્વારા મોટી સંખ્યામાં કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષની સ્ક્રુટીની નોટિસ આપી

04:45 PM Jun 28, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ વિભાગ (જીએસટી) દ્વારા વેપારી કરદાતોઓને ત્રણ વર્ષ પહેલાની હિસાબ-કિતાબની ત્રૂંટીઓ કાઢીને સ્ક્રુટિની નોટિસો અપાતા કરદાતોઓમાં અસંતોષ ઊભો થયો છે. મોટી સંખ્યામાં કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષની સ્ક્રુટિની નોટિસ પાઠવવામાં આવી રહી છે. કરદાતાઓને મોટા પ્રમાણમાં સ્ક્રુટિની નોટિસ મળવા લાગતા દાડધામ મચી ગઈ છે.

Advertisement

જીએસટી કરદાતાઓને વર્ષના અંત સાથે રિટર્ન ભરવા અને અધિકારીઓને સ્ક્રુટિની નોટિસ પાઠવવાની મુદત આવતી હોય છે. જૂનના અંત સુધીમાં તમામ કાર્યવાહી આટોપી લેવામાં આવતી હોય છે. ત્યારે કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષની સ્ક્રુટિની નોટસ પાઠવવામાં આવી રહી છે. કરદાતાઓને આ વર્ષના બાકી રહેલા અથવા ક્ષતિ રહેલા રિટર્ન ઉપર લેણા કાઢતી નોટિસ પાઠવવામાં આવી રહી છે. કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષના આ સ્ક્રુટિની કાઢવાની અંતીમ મુદત 30 જૂન હોવાથી અધિકારીઓ મોડે સુધી કાર્ય કરીને કરદાતાઓને આ વર્ષની સ્ક્રુટિની નોટિસ પાઠવી રહ્યાં છે. જેને લઇ કરદાતાઓ જૂના વર્ષની નોટિસો મળતા દોડતા થયા હતા. આમ કરદાતાઓની માંગ છે કે જૂના વર્ષની નોટિસ પાઠવવાથી હિસાબી સાહિત્ય અને તે એન્ટ્રીઓ યાદ કરવી મુશ્કેલ હોવાથી જૂના વર્ષના સ્ક્રુટિની બંધ કરવી જોઇએ. કરદાતાઓનું કહેવું છે કે, પાછલી અસરની નોટિસો હોવાથી હિસાબો ભેગા કરવામાં મુશ્કેલી પડે છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGSTGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharscrutiny notice to taxpayersTaja Samacharviral news
Advertisement
Next Article