For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગિફ્ટ સિટી ભારતના ઉડ્ડયન ક્ષેત્રને સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટે વધુ આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા, જોડાણ આપશે: નાગરિક ઉડ્ડયન મંત્રી

12:19 PM Mar 08, 2025 IST | revoi editor
ગિફ્ટ સિટી ભારતના ઉડ્ડયન ક્ષેત્રને સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટે વધુ આત્મવિશ્વાસ  પ્રતિબદ્ધતા  જોડાણ આપશે  નાગરિક ઉડ્ડયન મંત્રી
Advertisement

ગાંધીનગરઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ) સાથે સંયુક્તપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ)ના સાથસહકારથી ગુજરાતના ગાંધીનગરમાં બીજી "ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ"નું આયોજન કર્યું હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામ મોહન નાયડુ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પ્રસંગે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, અત્યારે ગિફ્ટ સિટીને કોઈ પણ વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સરખાવી શકાય તેમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે કોઈની સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહ્યા નથી ફક્ત તે વૈશ્વિક કેન્દ્રને પૂરક બનાવે છે. વિચાર એ છે કે આપણે મોટા બજારને કારણે વિશાળ તક ગુમાવવી જોઈએ નહીં જે આવા વધુ સ્પર્ધકોને સમાવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, "ગિફ્ટ સિટી ભારતનાં ઉડ્ડયન ક્ષેત્રને સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટે જરૂરી આત્મવિશ્વાસ, કટિબદ્ધતા અને જોડાણ પ્રદાન કરશે."

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એરક્રાફ્ટ લીઝિંગ એ મુખ્ય નાણાકીય નવીનતા છે, જેની ભારતના વધતા જતા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ઉડાન યોજના અને 10 વર્ષમાં ભારતનાં એરપોર્ટ્સને બમણા કરવાથી ભારત દુનિયામાં ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે."

Advertisement

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં સરકાર 350 એરપોર્ટનું નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાંથી 34 એરપોર્ટ મેગા એરપોર્ટ તરીકે વિકસિત કરાશે, જે વાર્ષિક ધોરણે બે કરોડ પેસેન્જર્સનું સંચાલન કરશે. આગામી પાંચ વર્ષમાં અમે વધુ 50 એરપોર્ટનું નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. "ઉડાન યોજનાને વધુ 10 વર્ષ માટે પણ લંબાવવામાં આવી છે, જે દેશમાં ચાર કરોડ મુસાફરોને જોડશે અને ભારતમાં 120 નવા સ્થળોનું નિર્માણ કરશે. તેમણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે દેશમાં એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ અને લીઝિંગ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાની વિનંતી કરી.  રામ મોહન નાયડુએ ઉમેર્યું હતું કે, "ગિફ્ટ સિટી ભારતના નાગરિક ઉડ્ડયન ઉદ્યોગ દ્વારા સર્જવામાં આવેલા મૂલ્યોને ઘરઆંગણે લાવવાની પરિવર્તનકારી તકનું પ્રતિનિધિત્વ કરે છે."

કેન્દ્રીય મંત્રીએ વધુ આંતરદૃષ્ટિપૂર્ણ સત્રોનું અધ્યક્ષપદ સંભાળ્યું, ત્યારબાદ 'GIFT IFSCA માં એરક્રાફ્ટ લેઝર ઇકોસિસ્ટમ સ્થાપના' અને 'બ્રિજિંગ ફાઇનાન્સિયલ ગેપ્સ: નીતિ અને રોકાણ દ્વારા ઉડ્ડયન ધિરાણમાં વૃદ્ધિને અનલોક કરવા' પર ધ્યાન કેન્દ્રિત કરતી સંપૂર્ણ ચર્ચા કરી હતી.

પોતાનાં સમાપન વક્તવ્યમાં રામ મોહન નાયડુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સત્ર દરમિયાન ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સરકારની પ્રાથમિકતા બની રહે છે અને તેમણે સૂચિત પહેલોનાં અમલીકરણ માટે સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી હતી. તેમણે વર્તમાન વૈશ્વિક ભાડાપટ્ટાનાં કેન્દ્રો સાથે સ્પર્ધા કરવાને બદલે પૂરક બનવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જે મજબૂત અને સહયોગી એરક્રાફ્ટ લીઝિંગ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની ભારતની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરશે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીએ આજે પોતાને ફિનટેક હબ ઓફ ઇન્ડિયા તરીકે સ્થાપિત કર્યું છે. આવા સમયે, આ સમિટ ઉડ્ડયન ક્ષેત્ર અને એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગના વિકાસ માટે અને ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રે થયેલા ફેરફારોને કારણે આજે ભારતમાં મજબૂત એવીએશન ઈકોસિસ્ટમ ઊભી થઈ છે. "અમારી સરકાર ગુજરાતને ઉડ્ડયન ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે કટિબદ્ધ છે. અમે ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ માટે જરૂરી ઉત્પાદન ક્ષમતા, પર્યાપ્ત માળખાગત સુવિધા અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

નાગરિક ઉડ્ડયન સચિવ વુમલુન્મંગ વૌલનમે જણાવ્યું હતું કે, સરકાર સ્થિર નિયમનકારી માળખું પ્રદાન કરવા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, "ભારતીય કેરિયર્સ આગામી 5 વર્ષમાં તેમના એરક્રાફ્ટને 800થી વધારીને 1500 એરક્રાફ્ટ સુધી બમણા કરવા વિચારી રહ્યા છે."

પ્રતિનિધિઓના સક્રિય હસ્તક્ષેપો અને સૂચનો સાથે સત્રો અત્યંત અરસપરસ હતા. આ પ્રતિનિધિઓએ એરક્રાફ્ટ લીઝિંગના તમામ હિસ્સેદારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં વૈશ્વિક ભાડાપટ્ટાદારો, બેંકો, વીમા કંપનીઓ, કાનૂની નિષ્ણાતો અને એરલાઇન્સનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement