For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાઝાઃ શોક સમારોહ દરમિયાન ઇઝરાયલી હવાઈ હુમલામાં 16 લોકોનું મૃત્યુ

11:28 AM Mar 20, 2025 IST | revoi editor
ગાઝાઃ શોક સમારોહ દરમિયાન ઇઝરાયલી હવાઈ હુમલામાં 16 લોકોનું મૃત્યુ
Advertisement

ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તરી ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા છે. બુધવારે બેઇત લાહિયાના સલાટિન વિસ્તારમાં આ હુમલો થયો હતો. જ્યાં લોકોએ અગાઉ ઇઝરાયલી હુમલાના ભોગ બનેલા લોકો માટે શોક સમારોહનું આયોજન કર્યું હતું. ઇઝરાયલી સૈન્યએ આ ઘટના પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.

Advertisement

આ હુમલો ગાઝામાં ઇઝરાયલી લશ્કરી હુમલા વચ્ચે થયો છે. ઇઝરાયલનું કહેવું છે કે તેના હુમલાઓ હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારથી અત્યાર સુધીમાં 430 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. માર્યા ગયેલાઓમાં 170 થી વધુ બાળકો અને 80 મહિલાઓનો સમાવેશ થાય છે.

ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે આ હુમલાઓ હમાસથી આવતા જોખમોને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યા છે અને જ્યાં સુધી તેમના લક્ષ્યો પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તે જ સમયે પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે ગાઝાની હોસ્પિટલો ઘાયલ લોકોથી ભરેલી છે અને કટોકટી સેવાઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન, ઇઝરાયલ કાત્ઝે બુધવારે કહ્યું હતું કે છેલ્લા બે દિવસના હવાઈ હુમલા ફક્ત શરૂઆત છે. આગામી દિવસોમાં વધુ હુમલાઓ થશે.

Advertisement

હમાસના મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે ગાઝાના 20 લાખ લોકો ગંભીર ખોરાકની અછત અને માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યા છે. ઇઝરાયલી નાકાબંધી અને સરહદ બંધ થવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ઘણી બેકરીઓ બંધ થઈ ગઈ છે, જેના કારણે બ્રેડ પણ મળવી મુશ્કેલ બની ગઈ છે. તેમણે ઇઝરાયલ પર ગાઝાને જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રાખવાનો આરોપ મૂક્યો. તેમણે તાત્કાલિક સરહદ ખોલવાની માંગ કરી છે અને કહ્યું કે જો આવું નહીં થાય તો લાખો લોકો ભૂખમરાનો સામનો કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement