હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને ભીખારીમુક્ત બનાવાશે

05:50 PM Mar 21, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થાનો પર ભીખારીઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે શહેરની ભીખારી મુક્ત કરીને ભીખારીઓને રોજગારી આપીને તેમના પુનર્વસન માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવશે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે.

Advertisement

કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટમાં દેશના દસ શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન ભિખારીઓને શોધીને તેમને રોજગારી આપવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને ભીખ માંગતા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સર્વે દરમિયાન ભીખ માંગવા પાછળના કારણો પણ જાણવામાં આવશે. સરકાર 'સ્માઈલ યોજના' અંતર્ગત ભિખારીઓનું પુનર્વસન કરશે. તેમના આરોગ્ય અને શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ભિખારીઓને તેમની કુશળતા મુજબ પ્રશિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં વારાણસીને દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર બનાવવાની યોજના છે. અહીં 'વિદ્યાદાનમ' પ્રોગ્રામ હેઠળ ભિખારીઓને શિક્ષણ અને રોજગાર આપવાની પહેલ કરવામાં આવી છે. વર્ષ 2027 સુધીમાં વારાણસીને સંપૂર્ણપણે ભિખારી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Advertisement

 

Advertisement
Tags :
Aajna Samacharbeggar freeBreaking News GujaratiGandhinagarGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article