For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત, 17 વ્યક્તિ ઘાયલ

03:35 PM May 20, 2025 IST | revoi editor
તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત  17 વ્યક્તિ ઘાયલ
Advertisement
  • ટ્રક અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં

બેંગ્લોરઃ તેલંગાણાના વિક્રાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી છે.

Advertisement

તેલંગાણાના વિક્રાબાદ જિલ્લામાં પરિગી પોલીસ સ્ટેશન હદમાં સિમેન્ટ ભરેલી ટ્રક અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. આ કેસમાં, વિકારાબાદ એસપી આઈપીએસ કે. નારાયણ રેડ્ડી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, અને ઘાયલોને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement