For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

તમિલનાડુમાં તંજાવુર-તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત, પાંચ લોકોના મોત

03:08 PM May 22, 2025 IST | revoi editor
તમિલનાડુમાં તંજાવુર તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત  પાંચ લોકોના મોત
Advertisement

બેંગ્લોરઃ તમિલનાડુમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતા. તંજાવુર-તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સેંગકીપટ્ટી પુલ નજીક સરકારી બસ અને ખાનગી ટેમ્પો વાન વચ્ચે સામસામે ટક્કરમાં પાંચ લોકોના મોત થયા છે. તંજાવુર જિલ્લા કલેક્ટર પ્રિયંકા બાલાસુબ્રમણ્યમે આ અકસ્માત અંગે માહિતી આપી છે.

Advertisement

તંજાવુર જિલ્લા કલેક્ટર પ્રિયંકા બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે અકસ્માત રાત્રે 8 વાગ્યાની આસપાસ થયો હતો. તેમણે કહ્યું કે અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. બધાની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement