For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કોલકાતામાં SBIની શાખામાં આગ લાગી, મોટી દુર્ઘટના ટળી

02:52 PM Oct 29, 2025 IST | revoi editor
કોલકાતામાં sbiની શાખામાં આગ લાગી  મોટી દુર્ઘટના ટળી
Advertisement

નવી દિલ્હીઃ કોલકાતાના ધાકુરિયા વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાના બીજા માળે બુધવારે (29 ઓક્ટોબર) આગ લાગતા દુર્ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાને લઈને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ, છ ફાયરની ગાડી ઘટનાસ્થળે દોડી પહોંચીને આગને કાબુમાં લીધી હતી.

Advertisement

કોલકાતામાં SBIની શાખામાં આગ લાગવાની ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. ફાયર વિભાગે આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, શોર્ટ સર્કિટને કારણે આગ હોવાનું અનુમાન છે.

મળતી માહિતી મુજબ, બેંકમાં સવારે 5.45 વાગ્યે આગ લાગી હતી. કારણ કે તે બેંક ખુલવાનો સમય ન હતો, તેથી કોઈ કર્મચારી કે ગ્રાહક બેંકમાં નહોતા. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, મોટી દુર્ઘટના ટળી હતી. 

Advertisement

આ બેંક શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે, 'ગ્રાહકોના દસ્તાવેજોને કોઈ નુકસાન થયું નથી. આગમાં મુખ્યત્વે ફર્નિચરને નુકસાન થયું હતું. અમને સવારે 6.15 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. નીચે ATM પર તૈનાત સુરક્ષા ગાર્ડ્સે અમને જાણ કરી હતી.'

બેંકમાં આગ લાગવાના સમાચાર સાંભળીને કસ્ટમર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમને ખબર પડી કે તેમના દસ્તાવેજોને નુકસાન થયું છે કે નહીં. એક કસ્ટમરે જણાવ્યું કે, 'મને ખબર પડી કે લોકરમાં કોઈ નુકસાન થયું છે કે નહીં. બેંકે કહ્યું કે લોકરમાં કોઈ નુકસાન થયું નથી. બેંકના બીજા માળે આગ લાગી હતી.'

Advertisement
Tags :
Advertisement