For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કોલકાતાની ઋતુરાજ હોટેલમાં લાગી આગ, 14 લોકોના મોત

11:29 AM Apr 30, 2025 IST | revoi editor
કોલકાતાની ઋતુરાજ હોટેલમાં લાગી આગ  14 લોકોના મોત
Advertisement

કોલકાતાઃ કોલકાતાના બડા બજારમાં ઋતુરાજ નામાની હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે અને કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. આ આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં તેણે આખી હોટેલને પોતાની ઝપેટમાં લઈ લીધી.

Advertisement

ધુમાડાના કારણે કેટલાક લોકો હોટલની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી લોકોને બચાવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને હોટલમાં પ્રવેશવા માટે દિવાલ તોડવી પડી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યું નથી.

પશ્ચિમ બંગાળના ભાજપના નેતા દિલીપ ઘોષે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. મીડિયા સાથે વાત કરતા કહ્યું, કોઈ પણ સલામતીના નિયમોનું પાલન કરાતું નથી. ગેરકાયદેસર બાંધકામો થાય છે પરિણામે, આવી ઘટનાઓ બને છે, 14 લોકોના મોત એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકારે આ બાબતને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement