હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

છ દાયકાની સેવા બાદ મિગ-21ને વિદાય, ચંદીગઢમાં ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક ક્ષણ

06:00 PM Sep 26, 2025 IST | revoi editor
Advertisement

ચંદીગઢ : ભારતીય વાયુસેનાએ આજે દેશની રક્ષા ઇતિહાસનો એક અગત્યનો અધ્યાય પૂર્ણ કર્યો છે. લગભગ છ દાયકા સુધી આકાશમાં ગર્જના કરનાર મિગ-21 ફાઇટર જેટને ચંદીગઢમાં સત્તાવાર રીતે સેવાનિવૃત્ત કરવામાં આવ્યું છે.

Advertisement

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ઐતિહાસિક વિમાનને વિદાય અપાઈ હતી. એર ચીફ માર્શલ એપી સિંહે બાદલ-3’ સ્ક્વોડ્રન સાથે મિગ-21ની છેલ્લી ઉડાન ભરી હતી.

મિગ-21ને 1963માં ચીન-ભારત યુદ્ધ પછી વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ વિમાન ભારતનું પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ હતું અને તેને "ગાર્ડિયન ઓફ ધ સ્કાય" તરીકે ઓળખવામાં આવતું.

Advertisement

મિગ-211965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને 1971ના યુદ્ધ દરમિયાન આ વિમાને પાકિસ્તાની વાયુસેનાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આજની વિદાય સાથે મિગ-21ના સાહસ, શક્તિ અને વિજયની ગાથા ભારતીય સેનાના ઇતિહાસમાં સદાય માટે અંકિત થઈ ગઈ છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article