For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ પ્લેન દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. એક-એક કરોડની સહાય કરાશે

10:54 AM Jun 13, 2025 IST | revoi editor
અમદાવાદ પ્લેન દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ  એક એક કરોડની સહાય કરાશે
Advertisement

નવી દિલ્હીઃ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ના દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રશેખરે જણાવ્યું કે ટાટા ગ્રુપ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના તબીબી ખર્ચ ભોગવશે.આ ઉપરાંત, ટાટા ગ્રુપ બીજે મેડિકલ હોસ્ટેલના નિર્માણમાં પણ સહાય પૂરી પાડશે.

Advertisement

ટાટા ગ્રુપે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે,એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ સાથે થયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. અમારા વિચારો અને પ્રાર્થનાઓ એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે."

ચંદ્રશેખરે વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે એરલાઇનનું પ્રાથમિક ધ્યાન તમામ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને મદદ કરવાનું છે.અમે ઘટનાસ્થળે કટોકટી પ્રતિભાવ ટીમોને મદદ કરવા અને અસરગ્રસ્ત લોકોને તમામ જરૂરી સહાય અને સંભાળ પૂરી પાડવા માટે અમારી બધી શક્તિથી કામ કરી રહ્યા છીએ.

Advertisement

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 13 જૂન 2025ના રોજ ક્રેશ થઈ ગઈ. તેમાં 242 લોકો સવાર હતા. અકસ્માત બાદ, એર ઇન્ડિયાએ AI-171 માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1800 5691 444 જારી કર્યો છે.

Advertisement
Tags :
Advertisement