જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક ત્રીસવાદી ઠાર મરાયો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. બંને બાજુથી ગોળીબાર થઈ રહ્યો છે. આ ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હોવાના અહેવાલ છે, જ્યારે બે સૈનિકો પણ ઘાયલ થયા છે. હાલમાં, વિસ્તારમાં આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન ચાલુ છે.
રિપોર્ટ અનુસાર, બાંદીપોરા જિલ્લાના કુલનાર બાજીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો. આ પછી સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હોવાનું જાણવા મળે છે. જ્યારે બે સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બાંદીપોરાના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LET) ના ટોચના કમાન્ડર અલ્તાફ માર્યા ગયાની માહિતી મળી રહી છે. આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ શુક્રવારે સવારે આ કાર્યવાહી કરી હતી. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે બાંદીપોરામાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આતંકવાદીને ઠાર માર્યો હતો. આ કાર્યવાહીમાં બે સૈનિકો પણ ઘાયલ થયા હતા.
બીજી તરફ, પાકિસ્તાને સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રણ રેખા પર કેટલીક જગ્યાએ નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો.