હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગઢચિરૌલીમાં પોલીસ-નક્સલીઓ વચ્ચે અથડામણ, ચાર માવવાદી ઠાર મરાયાં

04:22 PM Aug 27, 2025 IST | revoi editor
Advertisement

મુંબઈ : પૂર્વીય મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં છત્તીસગઢની સરહદ પાસે બુધવારની સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ચાર માવવાદીઓ ઠાર મારાયા હોવાનું જાણવા મળે છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, નક્સલીઓની હાજરીની ગુપ્તચર માહિતી મળ્યા બાદ ગઢચિરૌલી પોલીસની C-60 કમાન્ડો ટીમે કોપરશી ગામ નજીક વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તલાશી દરમ્યાન નક્સલીઓએ અચાનક જ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના પછી બંને તરફથી ગોળીબારી શરૂ થઈ હતી. હાલ સુધીના અહેવાલ મુજબ અથડામણ ચાલુ જ છે અને પોલીસ દ્વારા વિસ્તરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગઢચિરૌલી જિલ્લો લાંબા સમયથી નક્સલ પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ અને સુરક્ષા દળો દ્વારા નક્સલ વિરોધી ઓપરેશનમાં તેજી લાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નક્સલીઓની હરકતોને નિયંત્રણમાં લેવા માટે બોર્ડર વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article