For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાઝા શાંતિ સમિટમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહનું સ્વાગત કર્યું

08:30 AM Oct 14, 2025 IST | revoi editor
ગાઝા શાંતિ સમિટમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીએ વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહનું સ્વાગત કર્યું
Advertisement

નવી દિલ્હીઃ ઈજિપ્તના શર્મ અલ શેખમાં આયોજિત ગાઝા શાંતિ સમિટમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહનું સ્વાગત કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા સિંહે લખ્યું, "શર્મ અલ-શેખમાં ગાઝા શાંતિ સમિટ દરમિયાન ઈજિપ્તના મહામહિમ રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને મળવું મારા માટે સૌભાગ્યની વાત હતી. ઈજિપ્ત અને ભારત એક મહત્વપૂર્ણ અને જીવંત વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. આ સમિટ શાંતિ અને સંવાદ પ્રત્યે વૈશ્વિક પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. ભારત મધ્ય પૂર્વમાં શાંતિ, સ્થિરતા અને સ્થાયી સુરક્ષા પ્રત્યે તેની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે."

Advertisement

મંત્રી રવિવારે સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા. "શર્મ અલ-શેખમાં ગાઝા શાંતિ સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ પ્રતિનિધિ તરીકે ઐતિહાસિક શહેર કૈરો પહોંચ્યા." પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "અટલ શાંતિ પ્રયાસો" અને ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના "નિશ્ચય" ની પ્રશંસા કરી.

X પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ લખ્યું, "અમે બે વર્ષથી વધુ સમયની કેદ પછી બધા બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. તેમની મુક્તિ તેમના પરિવારોની હિંમત, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અટલ શાંતિ પ્રયાસો અને વડા પ્રધાન નેતન્યાહૂના દૃઢ નિશ્ચયનું પ્રતીક છે. અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રદેશમાં શાંતિ લાવવાના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપીએ છીએ."

Advertisement

અગાઉ, ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) એ પુષ્ટિ આપી હતી કે ગાઝામાં 2 વર્ષથી વધુ સમયની કેદ પછી, બધા 20 બચેલા ઈઝરાયલી બંધકોને હમાસ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે અને ઇઝરાયલી અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. IDF પ્રવક્તા એફી ડેફ્રીને કહ્યું, "આજે, 738 દિવસ પછી, બાકીના 20 બચેલા બંધકો ઘરે પાછા ફર્યા છે. આ એક નિર્ણાયક ક્ષણ છે. આ ક્ષણ ઈઝરાયલના લોકો અને માનવતામાં વિશ્વાસ રાખનારા બધાનો છે."

ભારત 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર થયેલા આતંકવાદી હુમલાઓ અને ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં નાગરિકોના જીવ ગુમાવવાની સખત નિંદા કરે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "ભારતે સતત તમામ બંધકોને મુક્ત કરવા, યુદ્ધવિરામ અને સંવાદ અને રાજદ્વારી દ્વારા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની હાકલ કરી છે."

Advertisement
Tags :
Advertisement