For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દરરોજ નારિયળ ખાવાથી પાચનક્રિયામાં સુધારા સાથે હાડકા પણ રહેશે મજબુત

07:00 PM Aug 16, 2025 IST | revoi editor
દરરોજ નારિયળ ખાવાથી પાચનક્રિયામાં સુધારા સાથે હાડકા પણ રહેશે મજબુત
Advertisement

કાચુ નારિયેળ જેને નારિયેળની કાચલી અથવા મલાઇ પણ કહેવામાં આવે છે. નારિયેળ સ્વાદિષ્ટ અને પોષક તત્વોનો ખજાનો છે. સ્વાસ્થ્યને વધુ સારૂં રાખવા માટે દરરોજ નારિયેળ પાણી પીવાની ડોક્ટર સલાહ આપે છે. એટલે કે દરરોજ તમારાં ડાયેટમાં નારિયેળને સામેલ કરવાથી અદ્દભુત ફાયદો મળે છે. કાચા નારિયેળમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને હેલ્ધી ફેટ હોય છે. એટલે કે દરેક વસ્તુ વિટામિન્સ નારિયેળમાંથી મળી શકે છે. જે આપણા શરીરની અંદર અને બહાર બંને તરફથી પોષણ આપે છે. આવો જાણીએ દરરોજ એક ટુકડો નારિયેળ ખાવાથી કયા કયા કમાલના ફાયદા થાય છે. કાચા નારિયેળમાં હાજર રહેલાં મીડિયમ-ચેન ટ્રાઇગ્લિસરાઇડ્સ મગજ માટે ખૂબજ ફાયદાકારક હોય છે.આના નિયમિત સેવનથી મગજની કાર્યક્ષમતા વધુ સારી બને છે.

Advertisement

પાચનક્રિયામાં સુધારોઃ કાચુ નારિયેળ ફાઇબરનો એક સૌથી સારો સ્ત્રોત છે. ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન નિયત્રિંત કરવામાં પણ મદદ મળે છે.

હાડકાંને રાખે છે સ્વસ્થઃ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજોથી ભરપૂર હોવાને કારણે કાચું નારિયેળ હાડકાંઓને મજબૂત બનાવે છે. જે હાડકાંના ઘનત્વને બનાવી રાખવામાં મદદ મળે છે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઓછો થાય છે.

Advertisement

વાળની લંબાઇ વધારે છેઃ દરરોજ કાચુ નારિયેળ ખાવાથી વાળ અને સ્કીનમાં પણ સુધારો જોવા મળે છે. દરરોજ નારિયેળ ખાવાથી વાળ મજબૂત અને લાંબા બને છે. તેથી તમારાં ડાયેટમાં કાચુ નારિયેળ સામેલ કરી શકો છો.

Advertisement
Tags :
Advertisement