અરુણાચલ પ્રદેશમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભય
નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશની દિબાંગ ખીણમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. જોકે, કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે આજે સવારે અરુણાચલ પ્રદેશની દિબાંગ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાથી, કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાનના સમાચાર નથી. ભૂકંપ પછી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. સ્થાનિક રહીશોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો.
વહેલી સવારે ભારત અને ઇન્ડોનેશિયાની ભૂમિ ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. આજે સવારે લગભગ 5:06 વાગ્યે ભારતના અરુણાચલ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ ભૂકંપની પુષ્ટિ કરી અને કહ્યું કે તેનું કેન્દ્ર દિબાંગ ખીણમાં 10 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું.