For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગર-રાજકોટ હાઈવે પર પુલ પરથી બોલેરો જીપ ખાબકતા ડ્રાઈવર અને અધિકારીનું મોત

05:18 PM Jun 06, 2025 IST | revoi editor
ભાવનગર રાજકોટ હાઈવે પર પુલ પરથી બોલેરો જીપ ખાબકતા ડ્રાઈવર અને અધિકારીનું મોત
Advertisement
  • માર્ગ મકાન વિભાગના અધિકારી ભાવનગરથી રાજકોટ પરત ફરતા અકસ્માત સર્જાયો,
  • મહિકા ગામ નજીક બ્રિજ પર બોલેરાનાચાલકે કાબુ ગુમાવતા બન્યો બનાવ,
  • બોલેરો જીપ બ્રિજ પર ડિવાઈડર તોડીને 10 ફુટ નીચે નાળામાં ખાબકી

રાજકોટઃ ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈવે પર મહિકા ગામ નજીક એક બ્રિજ પર બોલેરો જીપ 10 ફુટ નીચે ખાબકતા માર્ગ-મકાન વિભાગના અધિકારી અને બોલેરો જીપના ચાલકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતનો બનાવ રાતના સમયે બન્યો હતો. આખી રાત બંનેના મૃતદેહ ગાડીમાં જ પડ્યા હતા. બાદમાં વહેલી સવારે ત્યાં આસપાસના લોકોને આ વિશે જાણ થતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

રાજકોટ ભાવનગર હાઇવે પર ગઈ મોડીરાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક કાર્યપાલ ઈજનેર અને બહુમાળી ભવનમાં કોન્ટ્રેક્ટ બેઝ ડ્રાઇવરનાં મોત નીપજ્યાં છે. ભાવનગરથી પરત રાજકોટ ફરતા સમયે મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે ગોળાઈમાં સરકારી બોલેરો જીપ રોડની સાઈડનું ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી, જેમાં કારચાલક અને R&Bના અધિકારીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. સ્થાનિક રાહદારીએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. માર્ગ મકાન વિભાગના અધિકારી ભાવનગર વિઝિટ માટે ગયા હતાં ત્યાંથી પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, માર્ગ અને મકાન વિભાગના ટેક્નિકલ અધિકારી ગુરૂવાર રાતે ભાવનગરથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઇવરે પુલ ઉપર અચાનકથી બોલેરો જીપ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ ગાડી પુલ પરથી નીચે પડી જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આખી રાત બંનેના મૃતદેહ ગાડીમાં જ પડ્યા હતા. બાદમાં વહેલી સવારે ત્યાં આસપાસના લોકોને આ વિશે જાણ થતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલ બંને વ્યક્તિના મૃતદેહને રાજકોટની હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી  તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ભાવનગર રાજકોટ હાઈવે પર મહિકા ગામના બ્રિજ પર રાત્રિના 11 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો. આજે સવારે સ્થાનિક રાહદારીએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચંપક છનજી પટેલ છેલ્લાં 3 વર્ષથી રાજકોટમાં યાંત્રિક કાર્યપાલ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા અને કાલે ભાવનગર ખાતે સાઈટમાં કામ અર્થે ગયા હતા, જ્યાંથી રાત્રે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ગોળાઈ પાસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર નીચે ખાબકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement