For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

SCO બેઠકમાં ડો.એસ.જયશંકરે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડેહાથ લીધું

01:47 PM Jul 16, 2025 IST | revoi editor
sco બેઠકમાં ડો એસ જયશંકરે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડેહાથ લીધું
Advertisement

નવી દિલ્હીઃ બેઇજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના વિદેશ મંત્રીઓની બેઠકમાં, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે કોઈ પણ પ્રકારનું સમાધન ન કરવા ઉપર ભાર મૂક્યો હતો. આના થોડા કલાકો પહેલા, તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરની પ્રગતિ વિશે માહિતી આપી હતી. જયશંકરે SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે શી જિનપિંગને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત ચીન સાથેના સંબંધોમાં નેતાઓના માર્ગદર્શનને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે.

Advertisement

વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર તિયાનજિનમાં SCO બેઠકને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે કહ્યું હતું કે આ હુમલો જાણી જોઈને ખીણની પર્યટન આધારિત અર્થવ્યવસ્થાને નબળી પાડવા અને ધાર્મિક તણાવ ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. જયશંકરે કહ્યું, "SCO ની રચના આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ, આ ત્રણ દુષ્ટતાઓ સામે લડવા માટે કરવામાં આવી હતી. તેથી, જો SCO તેના મૂળભૂત ઉદ્દેશ્યો પ્રત્યે સાચા રહેવા માંગે છે, તો તેણે આતંકવાદ સામે કડક અને સ્પષ્ટ વલણ અપનાવવું પડશે."

તેમણે કહ્યું કે આ હુમલા પછી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ પણ તેની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવવાની વાત કરી હતી. હુમલાના જવાબમાં, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન-નિયંત્રિત વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહી ચાર દિવસ સુધી ચાલી હતી, ત્યારબાદ 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી.

Advertisement

જયશંકરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે SCO સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં પાકિસ્તાન દ્વારા પહેલગામ હુમલાના ઉલ્લેખ પર વાંધો ઉઠાવવાને કારણે ભારતે સંયુક્ત ઘોષણાને સમર્થન આપ્યું ન હતું. ભારત એ હકીકતથી પણ ગુસ્સે છે કે ચીને UNSCમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસોને ઘણી વખત અવરોધિત કર્યા છે. જયશંકરે અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો અને SCO સભ્ય દેશોને અફઘાન નાગરિકો માટે વિકાસ સહાય વધારવા અપીલ કરી. તેમણે કહ્યું કે ભારત તેના તરફથી સહયોગ ચાલુ રાખશે.

જયશંકરે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) પ્રોજેક્ટનું નામ લીધા વિના પણ પરોક્ષ રીતે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોઈપણ પ્રાદેશિક સહયોગ સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને પરસ્પર આદર પર આધારિત હોવો જોઈએ. તમને જણાવી દઈએ કે BRIનો એક ભાગ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માંથી પસાર થાય છે, જેનો ભારત વિરોધ કરી રહ્યું છે. તેમણે કહ્યું, "SCOમાં વેપાર, રોકાણ અને કનેક્ટિવિટીને વધુ ગાઢ બનાવવી જરૂરી છે, પરંતુ આ માટે સંગઠનની અંદર પરિવહનની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. જ્યાં સુધી SCO દેશો વચ્ચે સરળ પરિવહન વ્યવસ્થા ન હોય ત્યાં સુધી પ્રાદેશિક આર્થિક સહયોગ આગળ વધી શકશે નહીં."

Advertisement
Tags :
Advertisement