પુરીના જગન્નાથજી મંદિરનો મહાપ્રસાદ ભક્તોને ઓનલાઈન નહીં મળે, મંદિર પ્રશાસને લીધો નિર્ણય
નવી દિલ્હીઃ ઓડિશાના પુરમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના મહાપ્રસાદના ઓનલાઈન વેચાણને લઈને કેટલાક સંગઠનોએ મંદિર પ્રશાસનને અનુરોધ કર્યો હતો. જેને નામંજુર કરવામાં આવ્યો છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પુરી જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ ઓનલાઈન વેચવાના કેટલાક સંગઠનોના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે કેટલીક સંગઠનોએ તાજેતરમાં શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) ને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ભક્તોને પુરી મંદિરનો મહાપ્રસાદ અને સૂકો પ્રસાદ પહોંચાડવા વિનંતી કરી હતી. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે વિશ્વભરના ભક્તોને પ્રસાદ પહોંચાડવાનો વિચાર સારો હતો, પરંતુ સરકાર અને શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને પ્રસાદની શુદ્ધતા જાળવવા માટે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.
તેમણે કહ્યું કે અમને ડર છે કે જો આ રીતે ભક્તોને મહાપ્રસાદ પહોંચાડવામાં આવે તો તેની શુદ્ધતા જળવાઈ રહેશે કે નહીં તે ખબર નથી. મહાપ્રસાદનું ધાર્મિક મહત્વ ખૂબ વધુ છે અને તેને આદર સાથે રાખવું જોઈએ. પરંપરાગત રીતે તે ફક્ત મંદિર પરિસરમાં જ વેચાય છે અને જો તે ઓનલાઈન વેચાય છે તો તેની પવિત્રતા સાથે ચેડા થઈ શકે છે.
પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે સરકાર આવી કોઈ પહેલને સમર્થન આપતી નથી કે પ્રોત્સાહન આપતી નથી. ન તો અમારી પાસે આવી કોઈ દરખાસ્ત છે અને ન તો અમે કોઈને ઓનલાઈન મહાપ્રસાદ વેચવા માટે પ્રોત્સાહન આપીશું. કાયદા મંત્રીએ ભક્તોને મહાપ્રસાદ લેવા અને દેવતાઓના આશીર્વાદ લેવા માટે પુરી જગન્નાથ મંદિરમાં આવવા અપીલ કરી છે. આ સાથે, તેમણે એ પણ માહિતી આપી કે મહાપ્રસાદના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે કોઈ કાયદો નથી. કોઈપણ કાનૂની કાર્યવાહી માટે જગન્નાથ મંદિર અધિનિયમ, 1955 માં સુધારાની જરૂર પડશે.
કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ભગવાન જગન્નાથના મહાપ્રસાદનું પરવાનગી વિના ઓનલાઈન વેચાણ કરવાનો આરોપ લાગ્યો હતો. હવે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વિશ્વભરના ભક્તો માટે પ્રસાદ સુલભ બનાવવાનો વિચાર સારો હતો પરંતુ સરકાર અને શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્રે પ્રસાદની શુદ્ધતા જાળવવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો અને આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને, સરકારનો પણ મહાપ્રસાદના ઓનલાઈન વેચાણને સમર્થન આપવાનો કોઈ ઈરાદો નથી.