For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

'ઓપરેશન સિંદૂર'માં સફળતાને પગલે સંરક્ષણ શેરમાં 12 ટકાનો ઉછાળો

06:34 PM May 13, 2025 IST | revoi editor
 ઓપરેશન સિંદૂર માં સફળતાને પગલે સંરક્ષણ શેરમાં 12 ટકાનો ઉછાળો
Advertisement

મુંબઈઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામા 26 નિર્દોષોના મોત થયા. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું. ઓપરેશન સિંદૂર દરમિયાન આખી દુનિયાએ ભારતના સંરક્ષણ સાધનોની તાકાત અને ક્ષમતા જોઈ. ત્યારબાદ હવે રોકાણકારો પણ ભારતીય સંરક્ષણ શેર પર ભારે દાવ લગાવી રહ્યા છે. આ કારણે મંગળવારે (13 મે, 2025) મોટાભાગના સંરક્ષણ શેરોમાં જોરદાર તેજી જોવા મળી છે. સંરક્ષણ શેરોમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સૌથી વધુ વધ્યું. દિવસના અંતે BDL 11.47 ટકા વધીને રૂ. 1750 પર બંધ થયો હતો.

Advertisement

છેલ્લા એક વર્ષમાં BDLના શેરમાં આ સૌથી મોટો વધારો છે. BDLએ કંપની છે જે આકાશ મિસાઇલ સિસ્ટમનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાન સામે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, કોચીન શિપયાર્ડ અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ જેવી અન્ય સંરક્ષણ કંપનીઓના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ 5.21 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ 4.06 ટકા, હિન્દુસ્તાન એરોનોટિક્સ 3.81 ટકા, કોચીન શિપયાર્ડ 3.82 ટકા અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ 3.6 ટકાના વધારા સાથે બંધ થયા છે.

ગઈકાલે સોમવારે 'ઓપરેશન સિંદૂર' પર ભારતીય સેનાની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, એર માર્શલ એકે ભારતીએ જણાવ્યું હતું કે, 'આપણી યુદ્ધ-પ્રમાણિત પ્રણાલીઓ સમયની કસોટી પર ખરી ઉતરી છે અને પાકિસ્તાનનો સામનો કરી છે. બીજી એક ખાસ વાત સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી-આકાશ પ્રણાલીનું શાનદાર પ્રદર્શન હતું. છેલ્લા દાયકામાં ભારત સરકારના બજેટ અને નીતિગત સમર્થનને કારણે જ આટલું મજબૂત હવાઈ સંરક્ષણ વાતાવરણ બનાવવું અને તેનું સંચાલન કરવું શક્ય બન્યું છે.'

Advertisement

એર માર્શલ ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક ડ્રોન અને માનવરહિત લડાયક હવાઈ સાધનોને સ્વદેશી રીતે વિકસિત સોફ્ટ અને હાર્ડ કિલ કાઉન્ટર-યુએએસ સિસ્ટમ્સ અને સારી રીતે તાલીમ પામેલા ભારતીય હવાઈ સંરક્ષણ જવાનો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. જ્યારે પાકિસ્તાની સેના સતત હુમલો કરી રહી હતી ત્યારે અમે નાગરિક અને લશ્કરી માળખાગત સુવિધાઓને ઓછામાં ઓછી રાખી હતી. આપણી પાસે વિવિધ પ્રકારની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ છે, જેમાં નીચા સ્તરના ફાયરિંગ, સપાટીથી હવામાં મિસાઇલો, લાંબા અને ટૂંકા અંતરના મિસાઇલોનો સમાવેશ થાય છે. અમારા પર ડ્રોન અને યુએવી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની હુમલા દરમિયાન, અમારી બધી સિસ્ટમો એકસાથે સક્રિય કરવામાં આવી હતી. આધુનિક યુદ્ધ લડાઈની દ્રષ્ટિએ આ મહત્વપૂર્ણ હતું.'

Advertisement
Tags :
Advertisement