For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આવકવેરા રિટર્ન ફાઇલ કરવા એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લેવાયો

01:57 PM Sep 16, 2025 IST | revoi editor
આવકવેરા રિટર્ન ફાઇલ કરવા એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લેવાયો
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે લંબાવીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે કહ્યું હતું કે આકારણી વર્ષ 2025-26 માટે સાત કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે.

Advertisement

આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધુ એક દિવસ લંબાવી છે. તેથી, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 16 સપ્ટેમ્બર 2025 છે. અગાઉ આ તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. જોકે, ITR ફાઇલ કરવાની સૌથી પહેલી અંતિમ તારીખ 31 જુલાઈ 2025 હતી, જે પહેલાથી જ લંબાવવામાં આવી હતી.

આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે એક દિવસ વધારીને 16 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ પગલું તે કરદાતાઓની સુવિધા માટે લેવામાં આવ્યું છે જેમને આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓના કારણે રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement