હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભાવનગરના ઘોઘા બંદર પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લાગાવાયુ

05:33 PM Aug 21, 2025 IST | Vinayak Barot
Advertisement

ભાવનગરઃ અરબી સાગરમાં ચક્રવાતની નવી સિસ્ટમ સર્જાતા સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરન્ટને લીધે દરિયો તોફાની બની રહ્યો છે. તેના લીધે સૌરાષ્ટ્રના અન્ય બંદરોની જેમ ઘોઘા બંદર પર ભયજનકની ચેતવણી આપતું ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઘોઘાના કાંઠા વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સાથે અતિભારે વરસાદ અને દરિયામાં ઊંચા મોજા ઉછળે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જેને પગલે ઘોઘા બંદર પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. સમુદ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને ભારે પવન પણ ફુંકાય રહ્યો છે. ત્યારે ઓખા અને ઘોઘા સહિતના બંદરો પર 3 નંબરના સિગ્નલ લગાવાયા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. હવામાનની આગોતરી ચેતવણી આપવામાં આવી હતી તેના લીધે મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદને લઈને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આજે 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBhavnagarBreaking News GujaratiGhogha PortGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesNo. 3 warning signalPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article