હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઈરાન-ઈઝરાયલને યુદ્ધનો અંત લાવવા માટે જોર્ડન સહિતના દેશોએ કરી અપીલ

03:55 PM Jun 17, 2025 IST | revoi editor
Advertisement

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે અને મિસાઈલથી સતત એકબીજા ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. બંને દેશ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોને તેની અસર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ઇજિપ્ત, જોર્ડન અને અન્ય દેશોએ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષનો અંત લાવવા હાકલ કરી છે.

Advertisement

એક સંયુક્ત નિવેદનમાં, ઘણા દેશોએ મધ્ય પૂર્વમાં વધતા તણાવની નિંદા કરી અને પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વાતચીતનો આશરો લેવાનું સૂચન કર્યું. દરમિયાન થાઈ સરકાર ઈરાનમાં ફસાયેલા તેના લોકોને બહાર કાઢવાની તૈયારી કરી રહી છે. સરકારે તેની સેનાને ઇઝરાયલ અને ઈરાનમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે વિમાન તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. ભારતે પણ ઈરાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે કવાયત શરૂ કરી છે. ઈરાનના તેહરાનમાં ફસાયેલા 110 ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમની સાથે ભારતના કેટલાક અન્ય લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. તે બધા આર્મેનિયાની સરહદથી બહાર આવ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article