હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં જળાશયોમાં નવા પાણીની સતત આવક, જળસ્તર વધીને 62 ટકા ઉપર પહોંચ્યું

11:36 AM Jul 28, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ભારે વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જળાશયોમાં નવા પાણીની આવકને પગલે ખેડુતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 જેટલા જળાશયો છલકાયાં છે. દરમિયાન સરકાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 61 જેટલા પાણીનો સંગ્રહ થયો છે. હજુ વરસાદ સતત વરસી રહ્યો છે જેથી હજુ પણ નવા પાણીની આવક થવાની શકયતા છે.

Advertisement

ગુજરાતમાં વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે. હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. ગુજરાતના 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25થી નીચું છે. હાલ ગુજરાતના 48 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઈએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો એલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.માં હાલનો સંગ્રહ કુલ ક્ષમતાના 60.72 ટકા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 66 ટકા, દક્ષિણ ગુજરાતમાં 61 ટકા, કચ્છમાં 56 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા જેટલું જળસ્તર છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article