For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી

11:53 AM Apr 24, 2025 IST | revoi editor
પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી
Advertisement

નવી દિલ્હી: કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે સાંજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરશે અને સમગ્ર દેશ એકતા સાથે આ હુમલાનો યોગ્ય જવાબ આપશે.

Advertisement

પાર્ટીએ કહ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા તે આપણી રાષ્ટ્રીય ઓળખ પર હુમલો છે અને આ હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસે સર્વપક્ષીય બેઠકની માંગ કરી હતી અને સરકારે પણ આજે સર્વપક્ષીય બેઠક બોલાવીને આ દિશામાં સકારાત્મક પહેલ કરી છે. આજે આ બેઠકની અધ્યક્ષતા પીએમ મોદી પોતે કરે તેવી અપેક્ષા છે.

કોંગ્રેસ કોમ્યુનિકેશન વિભાગના પ્રભારી જયરામ રમેશે જણાવ્યું હતું કે, "22 એપ્રિલની રાત્રે જ, કોંગ્રેસે પહેલગામમાં થયેલા સૌથી ક્રૂર આતંકવાદી હુમલા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓની ટાર્ગેટ કિલિંગને ધ્યાનમાં રાખીને સર્વપક્ષીય બેઠકની માંગ કરી હતી. આ મામલાની ગંભીરતા અને દેશની જાહેર લાગણીઓને ધ્યાનમાં રાખીને, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અપેક્ષા રાખે છે કે પ્રધાનમંત્રી પોતે આજે સાંજે 6 વાગ્યે પ્રસ્તાવિત સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે, તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લે અને એક સામાન્ય ઠરાવ બનાવે."

Advertisement

Advertisement
Tags :
Advertisement