For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃતિ મર્યાદા 62 વર્ષ કરવા સમિતિની માગ

05:41 PM Jun 19, 2025 IST | revoi editor
ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃતિ મર્યાદા 62 વર્ષ કરવા સમિતિની માગ
Advertisement
  • રાજ્ય સરકારનો આઉટસોર્સના ભરોસે વહિવટ ચાલી રહ્યો છે,
  • કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓની વય નિવૃતિમાં વધારો કરો,
  • ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ કરી માગ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. દર વર્ષે જેટલા કર્મચારીઓ નિવૃત થાય છે. તેટલી જગ્યાઓ પણ ભરવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે. રાજ્ય સરકાર સતત આઉટસોર્સના ભરોશે કામ કરી રહી છે. અનુભવી કર્મચારીઓની પણ ઘટ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓની નિવૃતિની વય મર્યાદા 62 વર્ષ કરવા માંગ કરવામાં આવી છે.

Advertisement

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ વિષ્ણુભાઇ પટેલએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા જણાવ્યુ છે કે, અગાઉ કર્મચારીઓને લગતી અનેક રજૂઆત કરવામાં આવી છે. જેમાં એક મુદ્દો રાજ્યના કર્મચારીઓની નિવૃતિની વય મર્યાદા 62 વર્ષ કરવાની માંગ છે. કેન્દ્રમાં ભાજપની સરકાર કાર્યરત છે, જ્યારે ભાજપ શાસિત અનેક રાજ્યમાં સરકારી કર્મચારીની નિવૃતિની વય મર્યાદા 62 વર્ષ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના કર્મચારીઓની નિવૃતિની વય મર્યાદા 62 કરવા અમારી માંગ છે. હાલમા સરકાર આઉટસોર્સના ભરોશે કામ કરી રહી છે. સરકારી કર્મચારી નિવૃત થયા બાદ પણ તેમને કામગીરી કરવા માટે અને અનુવભીઓની અછત હોવાથી રાખવા પડે છે. જ્યારે સરકારની અનેક ભરતીઓ વિવાદમાં પડતી હોવાથી ભરતી પ્રક્રિયા પણ સમયસર પુર્ણ થતી નથી. પરિણામે રાજ્યના નાગરિકોના કામ વિલંબમાં પડે છે. જેથી કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓની જેમ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓની નિવૃતિની વયમર્યાદા 62 વર્ષ કરવા અમારી માગ છે. સરકારમાં અનેક જગ્યાઓ ખાલી હોવા છતા સમયસર ભરતી પ્રક્રિયા પુરી થતી નથી. આ સમયમાં અનુભવી કર્મચારીઓની પણ ઘટ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓની નિવૃતિની વય મર્યાદા 62 વર્ષ કરવા માંગ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement