For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં UCC અંગે નાગરિકો 15મી એપ્રીલ સુધી સુચનો મોકલી શકશે

06:27 PM Mar 19, 2025 IST | revoi editor
ગુજરાતમાં  ucc અંગે નાગરિકો 15મી એપ્રીલ સુધી સુચનો મોકલી શકશે
Advertisement
  • સૂચનો મોકલવાની સમયમર્યાદામાં કરાયો વધારો
  • નાગરિકોને UCC અંગે સૂચનો મોકલવા સમિતિના અઘ્યક્ષની અપીલ
  • મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે

ગાંધીનગરઃ સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તા. 24/03/2025 હતી, જે હવે તા. 15/04/2025 કરવામાં આવી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.

આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.15/04/2025ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો વેબપોર્ટલ https://uccgujarat.in/  પર અથવા  ઈ-મેઈલ ucc@gujarat.gov.in મારફત અથવા  બ્લોક નં.1, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-10-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત રજૂ કરવા અપીલ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement