For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે

12:51 PM Sep 06, 2025 IST | revoi editor
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે
Advertisement

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલયની કેન્દ્રીય ટીમે ગઈકાલે રિયાસી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે સમુદાય-આધારિત આપત્તિ તૈયારીઓને મજબૂત બનાવવા અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું.રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સંયુક્ત સચિવ કર્નલ કીર્તિ પ્રતાપ સિંહની આગેવાની હેઠળની ટીમે ગઈકાલે ઉધમપુર અને રિયાસી અને ગુરુવારે કઠુઆ જિલ્લાની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે ડોમેલ-કટરા હાઇવે, ભૂસ્ખલનથી પ્રભાવિત બાલાની પુલ અને કટરામાં શનિ મંદિર નજીક ભૂસ્ખલન સ્થળ સહિત અનેક અસરગ્રસ્ત સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ટીમે પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને મળ્યા હતા.કેન્દ્રીય ટીમે કટરાના અધ્યાત્મિક વિકાસ કેન્દ્ર ખાતે કરેલી એક સમીક્ષા બેઠકમાં રિયાસીના નાયબ કમિશનર નિધિ મલિકે જાનમાલ, પશુધન, પાક, ઘરો, સરકારી મિલકત અને જાહેર મિલકતોના નુકસાનનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે ટીમને પુનર્નિર્માણ કાર્ય, રાહત કાર્ય અને પુનર્વસન અંગેના પગલાંથી પણ વાકેફ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકો માટે માહોર, જેમસલાન અને સરહ ખાતે રાહત શિબિરો બનાવાયા છે જ્યાં ખાદ્ય પદાર્થો, આશ્રય, તબીબી સહાય અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય હવાઈદળે ગઈકાલે ઉધમપુર જિલ્લાના પૂરગ્રસ્ત દમ્મોટ પંચાયતના લોકોને હેલિકોપ્ટર દ્વારા લગભગ છ ટન રાહત સામગ્રી પહોંચાડી હતી. સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારીએ જમ્મુમાં આ માહિતી આપી હતી. ઉધમપુર જિલ્લામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement