હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા 'આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ'નો પ્રારંભ

04:12 PM Feb 28, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (MeitY) આજે આધાર પ્રમાણભૂતતા વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ આધારને વધારે લોકોને અનુકૂળ બનાવવા, જીવન જીવવાની સરળતાને સક્ષમ બનાવવા અને લોકો માટે સેવાઓની વધુ સારી સુલભતાને સક્ષમ બનાવવાનાં પ્રયાસ સાથે સુસંગત છે.

Advertisement

આધાર સુશાસન પોર્ટલનો શુભારંભ MeitYના સચિવ એસ. કૃષ્ણને કર્યો હતો. આ પ્રસંગે યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમાર, એનઆઈસીના મહાનિદેશક ઈન્દ્રપાલ સિંહ સેઠી, યુઆઈડીએઆઈ ડીડીજી મનીષ ભારદ્વાજ, યુઆઈડીએઆઈના ડીડીજી આમોદ કુમાર અને એમઈઆઈટીવાય, યુઆઈડીએઆઈ અને એનઆઈસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ઓનલાઈન પ્લેટફોર્મ (http://swik.meity.gov.in) સુશાસન (સમાજ કલ્યાણ, નવીનતા, જ્ઞાન) સુધારા નિયમો, 2025 માટે આધાર પ્રમાણીકરણને અનુસરીને અસરકારક બન્યું છે. જે જાન્યુઆરી 2025ના અંતમાં આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષ્યાંકિત ડિલિવરી) અધિનિયમ, 2016 હેઠળ સૂચિત કરવામાં આવ્યા હતા. નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાવેશકતા સુધારવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે.

Advertisement

આધારને વિશ્વમાં સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી માનવામાં આવે છે. છેલ્લા એક દાયકામાં એક અબજથી વધુ ભારતીયોએ 100 અબજથી વધારે વખત આધારનો ઉપયોગ કરીને આધાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સુધારામાં દર્શાવ્યા મુજબ આધાર પ્રમાણભૂતતાના અવકાશના વિસ્તરણથી જીવનની સરળતામાં વધારો થશે અને તેમની પસંદગીની નવી સેવાઓની સુવિધામાં મુશ્કેલી વિના પ્રવેશની સુવિધા મળશે.

MeITYના સચિવ કૃષ્ણને જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ લોન્ચ થવાથી અને તેની આસપાસની અન્ય પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓમાં સતત સુધારા સાથે અમે સુશાસન અને જીવન જીવવાની સરળતાના ક્ષેત્રમાં વધુ ઉપયોગના કિસ્સાઓ ઉમેરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની આશા રાખીએ છીએ.

UIDAIના સીઈઓ ભુવનેશ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આધાર કેવી રીતે ભારતના ડિજિટલ અર્થતંત્રના વિકાસને સુલભ બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે આધાર સુશાસન માટે સક્ષમ છે અને યુઆઈડીએઆઈનું કેન્દ્રબિંદુ નિવાસી કેન્દ્રિતતા છે. આધાર સુશાસન પોર્ટલનો વિકાસ નિયત નિયમો અનુસાર કંપનીઓ દ્વારા રજૂ કરવામાં અને મંજૂરી દરખાસ્તોને સરળતા આપવા માટે કરવામાં આવ્યો છે.

આ સુધારો સરકારી અને બિન-સરકારી એમ બંને સંસ્થાઓને નવીનતાને સક્ષમ બનાવવા, જ્ઞાનનો પ્રસાર કરવા, નિવાસીઓનાં જીવનની સરળતાને પ્રોત્સાહન આપવા અને તેમનાં માટે સેવાઓની શ્રેષ્ઠ સુલભતાને પ્રોત્સાહન આપવા જેવા સંબંધિત વિશિષ્ટ ઉદ્દેશો માટે જાહેર હિતમાં વિવિધ સેવાઓ પ્રદાન કરવા માટે આધાર પ્રમાણભૂતતા સેવાનો લાભ લેવા સક્ષમ બનાવે છે. આ સેવા પ્રદાતાઓ તેમજ સેવા શોધનારાઓ બંનેને વિશ્વાસપાત્ર વ્યવહારો કરવામાં મદદ કરશે.

નવા સુધારાથી આધાર નંબર ધારકો હોસ્પિટાલિટી, હેલ્થકેર, ક્રેડિટ રેટિંગ બ્યૂરો, ઇ-કોમર્સ પ્લેયર્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને એગ્રિગેટર સર્વિસ પ્રોવાઇડર્સ સહિત કેટલાંક ક્ષેત્રોમાંથી મુશ્કેલી વિનાની સેવાઓનો લાભ મેળવી શકશે. સર્વિસ પ્રોવાઇડર્સને પણ સ્ટાફની હાજરી, કસ્ટમર ઓનબોર્ડિંગ, ઇ-કેવાયસી વેરિફિકેશન, એક્ઝામ રજિસ્ટ્રેશન વગેરે સહિતની અનેક બાબતો માટે મદદરૂપ થશે.

આ પોર્ટલ સંસાધનોથી ભરપૂર માર્ગદર્શિકા તરીકે સેવા આપશે, અને આધાર પ્રમાણીકરણ માટે અરજી કેવી રીતે કરવી અને બોર્ડ પર કેવી રીતે રહેવું તે અંગે પ્રમાણપત્ર મેળવવા માંગતા સંસ્થાઓને વિગતવાર SOP પ્રદાન કરશે. આધારને લોકોને અનુકૂળ બનાવવાની અને નાગરિકો માટે જીવન જીવવાની સરળતા અને સેવાઓની વધુ સારી સુલભતાને સક્ષમ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે મંત્રાલયે સરકારી મંત્રાલયો અને વિભાગો સિવાયની અન્ય કંપનીઓ દ્વારા આધાર પ્રમાણભૂતતાને સક્ષમ બનાવવા માટે નિયમો પ્રસ્તાવિત કર્યા હતા. સૂચિત સુધારાઓ મંત્રાલયની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા અને એપ્રિલ અને મે 2023 દરમિયાન હોદ્દેદારો અને સામાન્ય લોકો તરફથી ટિપ્પણીઓ મંગાવવામાં આવી હતી.

Advertisement
Tags :
Aadhaar Good Governance PortalAajna SamacharBreaking News GujaratiCentral GovernmentGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News GujaratiLaunchedlocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article