For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

થરાદ હાઈવે પર રખડતા ઢોરને પકડીને પાંજરપોળ મોકલાયા

06:13 PM Jan 27, 2025 IST | revoi editor
થરાદ હાઈવે પર રખડતા ઢોરને પકડીને પાંજરપોળ મોકલાયા
Advertisement
  • હાઈવે પર રખડતા ઢોરને લીધે વારંવાર ટ્રાફિક જામ થતો હતો
  • પાંજરાપોળમાં રખડતા ઢોરની યોગ્ય સારસંભાળ કરાશે
  • નગરપાલિકાની કાર્યવાહીને લોકોએ આવકારી

થરાદઃ શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે પર રખડતા ઢોરના ત્રાસથી વાહનચાલકો પરેશાન હતી. રખડતા ઢોર હોઈવે પર જ અડ્ડો જમાવતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હતા. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ  થરાદ નગરપાલિકા અને ચારડા પંચાયતે સંયુક્ત રીતે રખડતા ઢોર વિરુદ્ધ ઝૂંબેશ આદરી હતી. હાઈવે પર રખડતા ઢોરને પકડીને પાંજરાપોળને સોંપાયા છે. પાંજરાપોળ દ્વારા રખડતા ઢોરની માવજત કરવામાં આવશે. હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ દુર થતાં વાહનચાલકોએ રાહત અનુભવી હતી.

Advertisement

થરાદ હાઇવે અને શહેરના બજાર વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની હતી. આ રખડતા ઢોરને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી અને અકસ્માતનું જોખમ પણ વધી ગયું હતું. સ્થાનિક વહીવટી તંત્રે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ખાસ અભિયાન શરૂ કર્યું, જેમાં નગરપાલિકા અને પંચાયતની સંયુક્ત ટીમે રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પકડાયેલા તમામ આખલાઓને સુરક્ષિત રીતે પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની યોગ્ય સારસંભાળ લેવામાં આવશે.

થરાદ નગરપાલિકાના આ પગલાંથી હાઇવે પરનો ટ્રાફિક સુરક્ષિત અને સુવ્યવસ્થિત બન્યો છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. નગરપાલિકા અને પંચાયત દ્વારા આવી કાર્યવાહી નિયમિત ધોરણે કરવામાં આવશે, જેથી રખડતા ઢોરની સમસ્યા કાયમી ધોરણે નિવારી શકાય અને સાથે સાથે પશુઓની સલામતી પણ સુનિશ્ચિત કરી શકાય.

Advertisement

Advertisement
Tags :
Advertisement