For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સિંગાપોરમાં કાર્ગો જહાજમાં લાગી આગ, ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે 18 ક્રૂ સભ્યોને બચાવ્યા

05:04 PM Jun 09, 2025 IST | revoi editor
સિંગાપોરમાં કાર્ગો જહાજમાં લાગી આગ  ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે 18 ક્રૂ સભ્યોને બચાવ્યા
Advertisement

ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે સોમવારે સિંગાપોર-ધ્વજવાળા કાર્ગો જહાજ 'વાન હૈ 503' ના 18 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા. આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્ગો જહાજમાં કેરળના દરિયાકાંઠે લગભગ 70 નોટિકલ માઈલ દૂર આગ લાગી હતી.

Advertisement

જહાજમાં આગ લાગવાની ઘટના કેરળના બેપોર-અઝીકલ દરિયાકાંઠે અરબી સમુદ્રમાં બની હતી. કન્ટેનર જહાજના 18 ક્રૂ સભ્યોએ પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા હતા, તેમને સુરક્ષિત રીતે બચાવ્યા બાદ, જહાજના ફાયર એન્ડ સેફ્ટી વિભાગના ચાર ક્રૂ સભ્યોને શોધી કાઢવામાં આવી રહ્યા છે.

સ્થળ પરથી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જહાજના ઉપરના ડેક પર આગ ભભૂકી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડની ચેતવણી સાથે, કોઝિકોડ અને કોચિની હોસ્પિટલોને હાઇ એલર્ટ પર રહેવા કહેવામાં આવ્યું છે, જેથી કોઈપણ કટોકટીનો સામનો કરી શકાય.

Advertisement

9 જૂનના રોજ, સવારે લગભગ 10.30 વાગ્યે, MOC (કોચી) ને MOC (મુંબઈ) તરફથી કન્ટેનર જહાજના ડેક પર વિસ્ફોટ થવાની જાણ કરવામાં આવી, જે 7 જૂનના રોજ કોલંબોથી મુંબઈ માટે રવાના થયું હતું અને 270 મીટર લાંબુ અને 12.5 મીટર ઊંડુ હતું.

દરમિયાન, કોચી અને મેંગલુરુથી ડોર્નિયર વિમાન અને કોસ્ટ ગાર્ડ અને નૌકાદળના જહાજો ઘટના સ્થળે પહોંચી ગયા છે. બેપોર પોર્ટના અધિકારી કેપ્ટન કે અરુણ કુમારે જણાવ્યું હતું કે કેટલાક કન્ટેનરમાં જ્વલનશીલ પ્રવાહી અને ઘન પદાર્થો અને ઝેરી પદાર્થો હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રૂમાં કોઈ ભારતીય નથી.

Advertisement
Tags :
Advertisement