હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જામનગર-ખંભાળિયા હાઈવે પર કાર પલટી જતા વેપારીનું મોત

05:57 PM Apr 24, 2025 IST | revoi editor
Advertisement

જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જામનગર-ખંભાળિયા હાઈવે પર સર્જાયો હતો. પુરફાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હાઈવે પરથી ઉતરી ગઈ હતી.  આ અકસ્માતમાં જામનગરના વેપારી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે જામનગરમાં રહેતા મનોજ પરસોત્તમભાઈ કુંડલીયા નામના વેપારી યુવાન ગઈકાલે રાત્રે પોતાની જીજે 10 એપી 7998 નંબરની વેગનઆર કાર લઈને સિક્કાથી જામનગર પોતાના ઘર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન એરપોર્ટ નજીક અકસ્માતે તેમની કાર પલટી મારી ગઈ હતી, અને રોડથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કારના ચાલક મનોજભાઈ કુંડલીયાનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કારચાલક યુવાનું ઘટવા સ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ યુવાનના પરિવારજનોને કરાતા તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratibusinessman diescar overturnsGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharJamnagar-Khambhalia highwayLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article