For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચેન્નાઈમાં એક જ પરિવારના ચાર સભ્યોની લાશ ઘરમાં મળી, પોલીસ તંત્ર દોડતું થયું

03:09 PM Mar 13, 2025 IST | revoi editor
ચેન્નાઈમાં એક જ પરિવારના ચાર સભ્યોની લાશ ઘરમાં મળી  પોલીસ તંત્ર દોડતું થયું
Advertisement

બેંગ્લોરઃ ચેન્નાઈમાં ડોકટર દંપતિ અને તેમના સંતાનોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ પરિવારે સામુહિત આત્મહત્યા કરવાનું પોલીસ માની રહી છે. પોલીસે ચારેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ચેન્નાઈમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા હતા. મૃતકોમાં બે કિશોરોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે ડૉક્ટર અને તેમની પત્ની, જે વ્યવસાયે વકીલ છે, તેમના મૃતદેહ એક રૂમમાંથી મળી આવ્યા હતા, જ્યારે દંપતીના બે પુત્રોના મૃતદેહ બીજા રૂમમાંથી મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે તેણે આત્મહત્યા કરી હશે. જ્યારે ડોક્ટરનો ડ્રાઈવર અન્ના નગર સ્થિત તેમના ઘરે કામ પર આવ્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસને ડૉક્ટર બાલામુરુગન (52) અને તેમની પત્ની સુમતિ (47) ના મૃતદેહ તેમના નિવાસસ્થાનના એક રૂમમાં મળી આવ્યા, જ્યારે તેમના પુત્રોના મૃતદેહ બીજા રૂમમાં હતા. તિરુમંગલમ પોલીસે કેસ નોંધ્યો છે. તેમને શંકા છે કે આ લોકોએ વધતા દેવાને કારણે આત્મહત્યા કરી છે. પોલીસે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement