વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની સભામાં ભાજપના કાર્યકર્તાએ કર્યો કાંકરીચાળો
- ભાજપના સમર્થકોએ હુમલો-ગાળાગાળી કર્યાનો ઈટાલિયાનો આક્ષેપ,
- વિસાવદરના ભાજપના મ્યુનિ સભ્યોના પૂત્રોએ પથ્થરમાર્યો કર્યો,
- ઈટાલિયા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોચ્યા
જુનાગઢઃ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. જેમાં ખાસ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગરમાગરમી જાવા મળી રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર શાબ્દિક ટપાટપી થતી હતી, જોકે હવે મામલો ગાળાગાળી અને પથ્થરમારા સુધી આવી ગયો હોય એવા આક્ષેપ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર કાકરીચાળો અને ગાળાગાળી કરી હતી. અને આ મામલે તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે.
વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ગરમાગરમી જોવા મળી રહી છે. વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જીવાપરમાં સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક તેમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસિર મેતરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમાર્યો છે તથા કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્રે ગાળાગાળી કરી હતી છે. ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે.
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ પાર્ટી ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની સભામાં હોબાળો થયો હતો. વિસાવદરના જીવાપરામાં સભા યોજાઈ હતી. વિસાવદરના નગર સેવક કમલેશ રીબડીયાનો પુત્ર અક્ષય અને અન્ય નગર સેવક રમીજ મેતરના ભાઈ નાસીર નામના શખ્સે પથ્થરમારોના પ્રયાસ કર્યાનો આપ પાર્ટીનો આક્ષેપ કર્યો છે. ભાજપના ઇશારે પથ્થરમારોના પ્રયાસ કરાયાના આક્ષેપ ઉઠ્યો છે. આ મામલે આપ પાર્ટી દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.