ભાવનગર-રાજકોટ હાઈવે પર ગઢુલા નજીક અકસ્માતમાં ભાજપના નેતાનું મોત
- ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેનના પતિનું અકસ્માતમાં મોત
- હીટ એન્ડ રનના બનાવમાં બાઈકને ટક્કર મારી અજાણ્યુ વાહન પલાયન
- મૃતક મુળજીભાઈ રૈયાણી જિલ્લા ભાજપના આગેવાન હતા
ભાવનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર-રાજકોટ હાઈવે પર આવેલા ગઢુલા નજીક કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકચાલક મૂળજીભાઈ રૈયાણીનું મોત નિપજ્યુ હતુ. મૂળજીભાઈ રૈયાણી ભાવનગર શહેરના રાજકીય અગ્રણી અને ભાજપના આગેવાન હતા અને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રેયાબેન રૈયાણીના પતિ હતા. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણીના પતિ મૂળજીભાઈ રૈયાણીનું ગત મોડી રાત્રે સિહોર નજીક ગઢુલા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ભાવનગર-રાજકોટ હાઈવે પર સણોસરા-ગઢુલા વચ્ચે આવેલી હોટલેથી બાઈક પર મુળજીભાઈ રૈયાણી પરત ફરી રહ્યા હતા. ત્યારે ગઢુલા નજીક એક અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં તેઓ રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓ સાથે તેમને તાત્કાલિક સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી જિલ્લા ભાજપમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના સિહોરમાં ગઢુલા ગામ નજીક ભાજપ નેતા મૂળજી મિયાણીનો અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. મૂળજી મિયાળી ટુ-વ્હીલર બાઇક લઈ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તેમ સમયે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા અજાણ્યા વાહન સાથે ટકરાઈ અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલ સમગ્ર બનાવને ધ્યાને લઈ સોનગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. ભાજપ નેતાના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં ભાજપના આગેવાનો તેમજ પરિવાર સિહોરની CHC હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા..
મૂળજી મિયાણી કિસાન મોરચાના સભ્ય તેમજ ભાવનગર જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન રહી ચુક્યા છે. તેમની પત્ની રૈયાબેન મિયાણી પણ ભાજપમાં જોડાયેલા છે અને હાલ જિલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.