બિહાર વિધાનસભા ચૂંટણી: NDA ના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ યથાવત્
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા બેઠકોના સન્માનજનક હિસ્સાની માંગણીને પગલે NDAમાં, દરેક ઘટક પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ LJP (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સાથે અનેક રાઉન્ડની બેઠકો કરી છે. પટણામાં મીડિયા સાથે વાત કરતા, ચિરાગ પાસવાને કહ્યું કે બેઠક વહેંચણી વ્યવસ્થા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બીજી તરફ, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર કોઈ સર્વસંમતિ બની શકી નથી. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ગઈકાલે પટણામાં મહાગઠબંધનની ચૂંટણી સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક પછી, CPI મહાસચિવ ડી. રાજાએ જણાવ્યું હતું કે ગઠબંધનના ભાગીદારો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે
બિહાર વિધાનસભાની ચૂંટણી 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે. ૧૨૧ વિધાનસભા મતવિસ્તારોને આવરી લેતા પ્રથમ તબક્કા માટે નામાંકન પ્રક્રિયા ૧૦ ઓક્ટોબરથી શરૂ થશે.