હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

BCCIએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં કર્યો ફેરફાર

05:04 PM Jun 17, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમમાં ફેરફાર કર્યો છે. ભારતની અંડર-19 ક્રિકેટ ટીમના બે ખેલાડી ઘાયલ થતાં તેમને સ્થાને અન્ય બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો પ્રતિભાશાળી ક્રિકેટર ખિલન પટેલ પણ સામેલ છે. BCCIએ સોમવારે જાહેર કર્યું હતું કે, ઇજાગ્રસ્ત આદિત્ય રાણા અને ખિલન પટેલ આ પ્રવાસે જઈ શકે તેમ નથી અને તેમના સ્થાને ડી. દિપેશ અને નમન પુષ્પકને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તારીખ 27 જૂનના રોજ હોવના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે પ્રથમ ODI મેચ યોજાશે.

Advertisement

ટીમઃ આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા,  મોલ્યરાજસિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુન્ડુ, હરવંશ સિંઘ, આર. એસ. અંબરીશ, કનિષ્ક ચૌહાણ, હેનિલ પટેલ, યુધજિત ગુહા, પ્રણવ રાઘવેન્દ્ર, મોહમ્મદ ઇનાન, અનમોલજોત સિંઘ, ડી. દિપેશ, નમન પુષ્પક.

આદિત્ય રાણાને પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે જ્યારે ખિલન પટેલને જમણા પગે સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે. બંને ખેલાડી હાલમાં બેંગલુરુના ક્રિકેટ ઓફ એક્સેલન્સ (CAE) ખાતે ટ્રેનિંગ દરમિયાન ઘાયલ થયા હતા. મુંબઈના આક્રમક ઓપનર આયુષ મ્હાત્રેની કેપ્ટનશિપમાં આ ટીમ ઇંગ્લેન્ડમાં રમવાની છે. આયુશ મ્હાત્રેએ ગઈ ડોમેસ્ટિક સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી, જેને પરિણામે તેને IPL 2025 માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ખરીદી લીધો હતો, જ્યાં આયુષે પ્રભાવશાળી બેટિંગ કરી હતી.

Advertisement

ભારતીય અંડર-19 ટીમ લોગબોરો યુનિવર્સિટી ખાતે એક વોર્મ અપ મેચ રમશે જે 50-50 ઓવરની રહેશે. ત્યારબાદ પાંચ મેચની યૂથ વન-ડે સિરીઝ રમાશે જે હોવ, નોર્ધેમ્પ્ટન અને વોર્સેસ્ટર ખાતે રમાશે. આ ઉપરાંત ભારતીય ટીમ ઇંગ્લેન્ડ અંડર-19 ટીમ સામે બેકેનહામ અને ચેમ્સફોર્ડ ખાતે ચાર ચાર દિવસની બે મેચ રમશે.

આયુશ મ્હાત્રેની કેપ્ટનશિપ હેઠળની ટીમના ઉપસુકાની તરીકે વિકેટકીપર-બેટર અભિજ્ઞાન કુન્ડુને નિયુક્ત કરવામાં આવ્યો છે.  આ ટીમમાં નવોદિત સ્ટાર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ સામેલ કરવામાં આવ્યો છે જેણે આ IPLમાં 35 બોલમાં સદી ફટકારવા સાથે રાજસ્થાન રોયલ્સ માટે 252 રન ફટકાર્યા હતા. ગયા વર્ષે UAEમાં યોજાયેલા અંડર-19 એશિયા કપમાં ભારતની ટીમ રનર્સ અપ રહી ત્યારે સૂર્યવંશી અને મ્હાત્રે પણ તેમાં રમ્યા હતા.

Advertisement
Tags :
Aajna SamacharbcciBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article