હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભાવનગર માર્કેટ યાર્ડમાં કાલે 18મીથી 25મી ઓક્ટોબર સુધી હરાજી બંધ રહેશે

05:11 PM Oct 17, 2025 IST | Vinayak Barot
Advertisement

ભાવનગરઃ  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં દિવાળીના તહેવારોને લીધે આવતી કાલ તા. 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી શાકભાજી સિવાય તમામ હરાજી બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં 25મી ઓક્ટોબર સુધી અનાજ, કઠોળ, તેલીબીયા તથા કપાસ સહિત તમામ પાકોની (શાકભાજી સિવાય) હરરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જિલ્લાભરના ખેડૂતો ખરીફ પાકના વેચાણ માટે આવતા હોય છે, ત્યારે યાર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોને લીધે આવતી કાલ તા. 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી શાકભાજી સિવાય તમામ હરાજી બંધ રહેશે. 26 ઓક્ટોબર, રવિવારે નવી આવક ઉતારવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે 27 ઓક્ટોબર, સોમવારથી રાબેતા મુજબ માર્કેટયાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ ફરીથી શરૂ કરવામાં આવશે. તે સિવાય લીંબુની જાહેર હરાજી પણ 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી બંધ રહેશે અને 26 ઓક્ટોબરથી પુનઃ શરૂ થશે.

યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ તથા વાહનમાલિકોએ આ સૂચના અંગે ખાસ નોંધ લેવાની વિનંતી કરવામાં આવી છે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને તહેવાર બાદનું વેપારિક કામકાજ સરળતાથી શરૂ થઈ શકશે.

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharauction closed from 18th to 25th OctoberBhavnagar market yardBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article