For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં સરેરાશ 1.8 લાખ લોકો જીવ ગુમાવે છે

11:00 PM Mar 26, 2025 IST | revoi editor
ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં સરેરાશ 1 8 લાખ લોકો જીવ ગુમાવે છે
Advertisement

ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતના બનાવો બને છે. માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર માર્ગ અકસ્માતના બનાવોમાં 1.8 લાખ વ્યક્તિઓ જીવ ગુમાવે છે. જ્યારે લાખો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

Advertisement

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ માર્ગ સલામતી પર ભાર મૂક્યો અને તેને દરેક નાગરિક માટે એક મહત્વપૂર્ણ મુદ્દો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે, જે ચિંતાનો વિષય છે. તેમણે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી જેથી માર્ગ અકસ્માતો અટકાવી શકાય.

તેમણે કહ્યું, "દરેક નાગરિક માટે માર્ગ સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે રસ્તા પર હોવ છો, ત્યારે અકસ્માતો અટકાવવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આપણા દેશમાં વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો થાય છે, જે ગંભીર ચિંતાનો વિષય છે."
રિજિજુ, જે સંસદીય બાબતોના મંત્રી પણ છે, તેમણે કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે આયોજિત "સંસદ સભ્યોની કાર રેલી 2025" માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોએ પણ ભાગ લીધો હતો.

Advertisement

અગાઉ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં દર વર્ષે લગભગ 4.7 લાખ માર્ગ અકસ્માતો થાય છે, જેમાં લગભગ 1.8 લાખ લોકો મૃત્યુ પામે છે અને લગભગ 4 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ગડકરીએ એમ પણ કહ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં 18 થી 45 વર્ષની વય જૂથના લગભગ 1.4 લાખ લોકોનો સમાવેશ થાય છે. જેમાં ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે.

Advertisement
Tags :
Advertisement