For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમિત શાહે ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

04:16 PM Jul 04, 2025 IST | revoi editor
અમિત શાહે ગુજરાત  હિમાચલ પ્રદેશ  રાજસ્થાન  ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
Advertisement

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાના આગમન સાથેજ મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં મેધાની મહેર જોવા મળી છે તો કેટલાક રાજ્યોમાં મેધાની કહેર જોવા મળી છે.દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે પણ મુશ્કેલીઓ વધારી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે થયેલી આફતે તબાહી મચાવી છે.

Advertisement

આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. શાહે તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી.આ રાજ્યોમાં જરૂરિયાતમંદ લોકો માટે પૂરતી NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે અને જરૂર પડ્યે વધુ ટીમો મોકલી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે.

"ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની વાતચીત વિશે માહિતી આપી. તેમણે ટ્વિટર પર લખ્યું, "કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોન દ્વારા શ્રી કેદારનાથ ધામ સહિત રાજ્યના વિવિધ આપત્તિ-સંવેદનશીલ વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ વિશે વિગતવાર માહિતી લીધી.પરિસ્થિતિની ગંભીરતાને જોતા, તેમણે ખાતરી આપી કે કેન્દ્ર સરકારની NDRF/ITBP ની કટોકટી રાહત એજન્સીઓને તાત્કાલિક તૈનાત કરવામાં આવી રહી છે, જેથી ચારધામ યાત્રામાં વિક્ષેપ ન પડે અને શ્રદ્ધાળુઓને અવરજવરમાં કોઈ અસુવિધા ન થાય."તેમણે વધુમાં કહ્યું,

Advertisement

"આ સાથે, તેમણે રાજ્યના અન્ય સંવેદનશીલ જિલ્લાઓમાં સતત સતર્કતા રાખીને શક્ય તમામ સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપી. આ સંવેદનશીલ, સક્રિય અને દયાળુ નેતૃત્વ માટે કેન્દ્રીય ગૃહમંત્રીનો હૃદયપૂર્વક આભાર."તમને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં જાનમાલનું ઘણું નુકસાન થયું છે અને અચાનક આવેલી આપત્તિ બાદ ઘણા લોકો ગુમ થયા છે.

Advertisement
Tags :
Advertisement