હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં શ્રી વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું

12:25 PM Mar 08, 2025 IST | revoi editor
Advertisement

બેંગ્લારોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે 150 પથારીની મલ્ટી સ્પેશિયાલિટી શ્રી વિશ્વેશાથિરથ મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્ણાટકના બેંગાલુરુમાં રૂ.60 કરોડના ખર્ચે 2 એકર જમીનમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સમાજનાં ગરીબ અને વંચિત વર્ગો માટે નિઃશુલ્ક સારવાર માટેનું આ આધુનિક કેન્દ્ર આગામી ઘણાં વર્ષો સુધી લોકોની સેવા કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં 60 ટકા બેડ ગરીબો માટે અનામત રાખવામાં આવ્યા છે અને આ કેન્દ્ર અનેક અત્યાધુનિક સેવાઓથી સજ્જ છે. શાહે ઉલ્લેખ કર્યો હતો કે, શ્રી કૃષ્ણ સેવા આશ્રમ ટ્રસ્ટે સમાજનાં ગરીબ અને વંચિત વર્ગોની સેવા માટે હંમેશા કામ કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, આ ટ્રસ્ટની સ્થાપના પૂજ્ય શ્રી વિશ્વેશતીર્થ સ્વામીજીએ કરી હતી અને આજે તેમનાં ઉત્તરાધિકારી શ્રી વિશ્વસંતર્થ સ્વામીજી આ પરંપરાને આગળ ધપાવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી કૃષ્ણ ચિકિત્સા કેન્દ્ર, શ્રી કૃષ્ણ નેત્રાલય, દંત ચિકિત્સા કેન્દ્ર અને શ્રી વિશ્વસંતર્થ મેમોરિયલ ક્લિનિકની સ્થાપના કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેંગાલુરુમાં ગરીબો માટે આનાથી વધારે સારું સારવાર કેન્દ્ર અન્ય કોઈ ન હોઈ શકે.

Advertisement

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે પેજાવર મઠ માત્ર કર્ણાટક અને દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં એક અગ્રણી મઠ છે, જે પ્રકાશના દીવાદાંડી તરીકે કામ કરે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, શ્રી વિશ્વેશતીર્થનાં નેતૃત્વમાં પેજાવર મઠે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, બળજબરીથી ધર્માંતરણ અટકાવવા, રામમંદિર આંદોલનને ટેકો આપવા તથા સમગ્ર દક્ષિણ ભારત અને રાષ્ટ્રમાં હિન્દુત્વ અને સનાતન ધર્મની સેવા કરવાનાં લાંબા ગાળાનાં પ્રયાસો માટે દેશભરમાં સન્માનનીય સ્થાન મેળવ્યું છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, ઉડુપીમાં સ્થિત પેજાવર મઠ આઠ મઠોમાંનું એક છે અને શ્રી માધવાચાર્યનાં ઉપદેશોને અનુસરીને ભગવાન કૃષ્ણની ભક્તિનાં માર્ગે અનેક લોકોને માર્ગદર્શન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, શ્રી વિશ્વેશતીર્થ સ્વામી જેવા સંતને શોધવાનું આજના સમયમાં ઘણું જ દુર્લભ છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વામીજીએ સમાજ, ધર્મ અને સમુદાય માટે પોતાનું જીવન જીવ્યું હતું, 8 વર્ષની વયે સંન્યાસ લીધો હતો અને તેમના જીવનના આઠ દાયકા આધ્યાત્મિકતાને સમર્પિત કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામીજી માત્ર હિંદુ ધર્મની સેવા કરવામાં જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવામાં પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2020માં સ્વામીજીને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સ્વામીજીએ હંમેશા રાષ્ટ્રીય એકતા માટે કામ કર્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દક્ષિણ ભારતમાં હિંદુ સમાજનું જ્ઞાતિઓમાં વિભાજન અટકાવવામાં સ્વામીજીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામીજીએ તેમનું સંપૂર્ણ જીવન શિક્ષણ, સેવા, આરોગ્ય સેવા અને વેદોના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત કરી દીધું હતું. શાહે એમ પણ કહ્યું હતું કે, સ્વામીજીએ ધાર્મિક ઉપદેશોને આધુનિક શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આજે સ્વામીજીની પરંપરા ચાલુ છે અને ઉડુપી મઠ દેશ માટે મોટી અપેક્ષાઓ ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રામ મંદિરમાં ભગવાન રામના અભિષેકની ધાર્મિક વિધિઓમાં પેજાવર મટ્ટએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે શ્રી નરેન્દ્ર મોદી વર્ષ 2014માં ભારતનાં પ્રધાનમંત્રી બન્યાં હતાં, ત્યારે તેમને આશીર્વાદ આપવા માટે દિલ્હી ગયેલાં અગ્રણી સંતોમાં સ્વામીજીનાં એક હતાં.

અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 10 વર્ષમાં લોકોનાં સ્વાસ્થ્ય અને સુખાકારી પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સ્વચ્છ ભારત અભિયાન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ન્યૂટ્રિશન મિશન, મિશન ઇન્દ્રધનુષ, આયુષ્માન ભારત યોજના અને જલ જીવન મિશન જેવા અભિયાનો સ્વસ્થ ભારત અભિયાનનાં વિવિધ ઘટકો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વચ્છતા સ્વાસ્થ્યનું સંચાલન કરી શકે છે, તંદુરસ્તી સ્વાસ્થ્યને શાશ્વત બનાવી શકે છે તથા માત્ર પોષક અને સંતુલિત આહાર જ માનવ શરીરને સ્વસ્થ રાખી શકે છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, મિશન ઇન્દ્રધનુષમાં તમામ પ્રકારની રસીઓ આવરી લેવામાં આવી છે, જલ જીવન મિશને દરેક ઘર સુધી ફ્લોરાઇડ-ફ્રી પાણી પહોંચાડવાની ખાતરી આપી છે અને આયુષ્માન ભારત યોજના હેઠળ, પ્રધાનમંત્રી મોદીએ 60 કરોડ લોકો માટે રૂ. 5 લાખ સુધીની મફત સારવાર પ્રદાન કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ધાર્મિક અને સેવાલક્ષી સંસ્થાઓ સક્રિયપણે પ્રોત્સાહન નહીં આપે, ત્યાં સુધી સ્વાસ્થ્ય સંબંધિત આ પહેલો સફળ નહીં થાય. તેમણે અંતમાં જણાવ્યું હતું કે સ્વામીજીની યાદમાં બનેલી હોસ્પિટલ સમાજને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Advertisement
Tags :
Aajna Samacharamit shahBENGALURUBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharinauguratedKARNATAKALatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharShri Vishweshteerth Memorial HospitalTaja Samacharviral news
Advertisement
Next Article