હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમેરિકાએ ઇરાનમાં સત્તા પરિવર્તનના આપ્યા સંકેત

03:08 PM Jun 23, 2025 IST | revoi editor
Advertisement

અમેરિકાએ ઇરાનમાં સત્તા પરિવર્તનના આપ્યા સંકેત. ઇરાનના ઇઝરાયલના સૈન્ય ઠેકાણો ઉપર હુમલા યથાવત્ રહેલા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવમાં અમેરિકાની એન્ટ્રી બાદ હવે ઈરાન અને અમેરિકામાં શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ અમેરિકાને ધમકી આપતા ચાલી રહેલા સંઘર્ષથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે, જો અમેરિકા બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સતત હસ્તક્ષેપ કરશે તો અમેરિકાને પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે, તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ત્રણ મુખ્ય લશ્કરી સ્થળો પર અમેરિકાના હુમલા બાદ ઈરાનમાં શાસન પરિવર્તનના સંકેત આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, જો વર્તમાન ઈરાની શાસન ઈરાનને ફરીથી મહાન બનાવવામાં અસમર્થ છે તો સત્તાપરિવર્તન કેમ ન થાય, તો આ દરમિયાન તેઓએ અમેરિકાન સેનાના પણ વખાણ કર્યા હતા..

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી અને ઈરાન-ઇઝરાયલ વચ્ચે તાજેતરમાં વધેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપતા કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીએ તાત્કાલિક તણાવ ઓછો કરવા અને સંવાદ અને રાજદ્વારી દ્વારા પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા હાંકલ કરી.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)એ ઈરાનમાં ગંભીર સ્થિતીને ધ્યાનમાં રાખીને આજે આપાતકાલીન બેઠક બોલાવી છે. એજન્સીના મહાનિદેશક રાફેલ મારિયાનો ગ્રોસીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં કહ્યું કે, ઈરાનના પરમાણુ સ્થાપનો પર અમેરિકાના હુમલા બાદ આજે એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સની આપાતકાલીન બેઠક બોલાવી નિર્ણય લીધો છે, તો સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરતા આ હુમલાને શાંતિ અને સુરક્ષા માટે જોખમ ગણાવ્યું છે. ગુટેરેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા કહ્યું કે, હું ઈરાન સામે સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાથી ચિંતીત છું. આ પહેલાથી જ સંકટગ્રસ્ત ક્ષેત્રથી વધુ જોખમ ઊભું કરશે અને આંતરરાષ્ટ્રીય શાંતિ-સુરક્ષા માટે જોખમ છે.. હું સદસ્ય દેશોને આહ્વાન કરું છું કે તેઓ તણાવ ઓછો કરો અને આંતરારાષ્ટ્રીય કાનૂન નિયમો અંતર્ગત પોતાની જવાબદારીઓ નિભાવે..

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article