For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અંબાજી: ભાદરવી પૂનમના મેળામાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

11:19 AM Sep 04, 2025 IST | revoi editor
અંબાજી  ભાદરવી પૂનમના મેળામાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં
Advertisement

ગાંધીનગર: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પહોંચી ચૂક્યા છે. પગપાળા આવતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

Advertisement

સેવા કેમ્પોમાં યાત્રિકો માટે સુવિધાઓ

પગપાળા જતા યાત્રિકોને આ સેવા કેમ્પોમાં જમવા, ચા-પાણી, નાસ્તો, અને મેડિકલ જેવી સુવિધાઓ મળી રહી છે. આ ઉપરાંત, મોબાઈલ ચાર્જિંગથી લઈને આઈસ્ક્રીમ સુધીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

Advertisement

પગ દુખવાના પ્રશ્નો વધુ હોવાથી, કેટલાક કેમ્પોમાં ઓટોમેટિક લેગ મસાજર મશીનની પણ સુવિધા રાખવામાં આવી છે. આ મશીનો ખાસ કરીને એવા યાત્રિકો માટે ઉપયોગી છે જેઓ હાથથી મસાજ કરાવવાનું પસંદ કરતા નથી.

સેવાભાવી લોકોની ભૂમિકા

સેવા કેમ્પોમાં સેવાભાવી લોકો પદયાત્રીઓના પગની મસાજ અને પાટાપિંડી પણ કરી રહ્યા છે. અન્નક્ષેત્ર ચલાવતા સંચાલકો દિવસ-રાત 24 કલાક વિવિધ પ્રકારના ભોજન પીરસીને શ્રદ્ધાળુઓની ભૂખ સંતોષી રહ્યા છે. આ સેવાઓનો મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લઈ રહ્યા છે, અને સેવા કેમ્પોમાં જમવા તથા અન્ય સુવિધાઓ માટે લાંબી કતારો જોવા મળી રહી છે.

Advertisement
Tags :
Advertisement