For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મણિપુર બાદ હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અરુણાચલની મુલાકાતે

06:22 PM Mar 28, 2025 IST | revoi editor
મણિપુર બાદ હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અરુણાચલની મુલાકાતે
Advertisement

મણિપુર બાદ હવે સુપ્રીમ કોર્ટના જજો અરુણાચલ પ્રદેશ જઈ રહ્યા છે. ન્યાયાધીશોના આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અરુણાચલના આદિવાસી સમુદાય અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને તેમના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે જાગૃત કરવાનો છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સહયોગથી યોજવામાં આવી રહ્યો છે.

Advertisement

NALSA ના કાર્યકારી પ્રમુખ અને સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈ જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા સાથે અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે. આ પ્રવાસ 29 અને 30 માર્ચે થશે. મેગા લીગલ અવેરનેસ કેમ્પ અને સેવા આપકે દ્વાર નામના આ કાર્યક્રમ હેઠળ અરુણાચલ પ્રદેશના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કાયદાકીય અધિકારો વિશે જાગૃત કરવામાં આવશે
બંને જજ અરુણાચલના દિરાંગ, બોમડિલા, વેસ્ટ કામેંગ અને તવાંગ જશે. NALSA એ પણ કહ્યું છે કે તે એવા લોકોને કાયદાકીય મદદ આપવાનો સતત પ્રયાસ કરી રહી છે જેઓ પોતાની રીતે સક્ષમ નથી. 2011ની વસ્તી ગણતરી મુજબ, અરુણાચલ પ્રદેશની 68 ટકા વસ્તી આદિવાસીઓની છે. લાંબા સમયથી અરુણાચલના લોકો મોટી સંખ્યામાં દેશની મુખ્ય ધારામાંથી કપાઈ ગયા છે. આવી સ્થિતિમાં તેમને નાગરિક તરીકેના કાયદાકીય અધિકારો વિશે માહિતી આપવી જરૂરી છે.

Advertisement

સુપ્રીમ કોર્ટના બંને જજ તેમના પ્રવાસ દરમિયાન અરુણાચલ પ્રદેશની કેટલીક જેલોની પણ મુલાકાત લેશે. ઉપરાંત બાળ સંભાળ ગૃહની પણ મુલાકાત લેશે. જેમને કાનૂની સહાયની જરૂર હોય, ન્યાયાધીશ અધિકારીઓને તેમની જરૂરિયાત મુજબ મદદ કરવા નિર્દેશ આપશે. NALSA એ માહિતી આપી છે કે અરુણાચલ પ્રદેશના આદિવાસીઓના હિતોના રક્ષણ માટે ઘણા કાયદા છે. તેઓને મેગા લીગલ અવેરનેસ કેમ્પ દરમિયાન આ અંગેની માહિતી આપવામાં આવશે. સેવા આપકે દ્વાર કાર્યક્રમ અંતર્ગત લોકોને તેમના કાયદાકીય પ્રશ્નોના નિરાકરણ માટે નિ:શુલ્ક સહાય આપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement