For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અફઘાનિસ્તાન કુનાર નદી પર બંધ બનાવી પાકિસ્તાનનો પાણી પુરવઠો અટકાવશે

03:50 PM Oct 25, 2025 IST | revoi editor
અફઘાનિસ્તાન કુનાર નદી પર બંધ બનાવી પાકિસ્તાનનો પાણી પુરવઠો અટકાવશે
Advertisement

ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન માટે પાણી પુરવઠો બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે. તાલિબાનના ઉપસૂચના મંત્રી મુઝાહિદ ફારાહીએ જાહેરાત કરી છે કે, જળ અને ઉર્જા મંત્રાલયે તાલિબાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદજાદાને અનુસરીને કુનાર નદી પર બંધનું નિર્માણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કુનાર નદી પાકિસ્તાનમાં વહે છે અને ત્યાંના કૃષિ ક્ષેત્ર માટે પાણીનો મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે.

Advertisement

મુઝાહિદ ફારાહીએ જણાવ્યું કે, અમીર અલ-મુમિનીનની સૂચના અનુસાર મંત્રાલયને વિદેશી કંપનીઓની રાહ જોતા વિના સ્થાનિક અફઘાન કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જળ અને ઉર્જા મંત્રી મુલ્લા અબ્દુલ લતિફ મંસૂરે ભારપૂર્વક કહ્યું કે, અફઘાનિસ્તાન પાસે પોતાના જળ સંસાધનોનું મેનેજમેન્ટ કરવાનો અધિકાર છે.

તાલિબાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદજાદાએ બંધનું કાર્ય ઝડપી ગતિમાં શરૂ કરવા માટે જળ અને ઉર્જા મંત્રાલયને નિર્દેશ આપ્યો છે. તેમણે સૂચના આપી કે વિદેશી કંપનીઓને બદલે સ્થાનિક કંપનીઓને પ્રાથમિકતા આપવામાં આવે અને કોન્ટ્રાક્ટ તાત્કાલિક કરવામાં આવે, જેથી કામમાં વિલંબ ન થાય.

Advertisement

ઉલ્લેખનીય છે કે, કુનાર નદી પાકિસ્તાનમાં પ્રવેશ્યા પછી ત્યાંના પંજાબના કૃષિ ક્ષેત્ર માટે મહત્વનો પાણીનો સ્ત્રોત છે. ત્યાર પહેલાં, જમ્મુ-કાશ્મીરમાં પેહલગામ પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કરી હતી, જેના પરિણામે પાકિસ્તાનના પંજાબમાં પાણીની કટોકટી સર્જાઇ હતી.

આ નિર્ણય પછી કુનાર નદી પર બંધ બનવાથી પાકિસ્તાનના ખેતીબાડી વિસ્તારમાં પૂરતો પાણીનો સ્ત્રોત વધુ સંકુચિત થવાની શક્યતા છે. આ બાબતે અફઘાનિસ્તાનનું સૂત્ર કહી રહ્યું છે કે, તેના જળ સંસાધનો પર સંપૂર્ણ અધિકાર છે અને તે પોતાના હિત અનુસાર નિર્ણય લે છે.

Advertisement
Tags :
Advertisement