For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરદાર પટેલના સદ્ગુણો દૈનિક જીવનમાં અપનાવો: ડૉ. વ્યાસ

12:14 PM Nov 02, 2025 IST | revoi editor
સરદાર પટેલના સદ્ગુણો દૈનિક જીવનમાં અપનાવો  ડૉ  વ્યાસ
Advertisement

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મોત્સવ નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ"ની ઉજવણી થઈ. કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસએ સૌને ભારતના ઉમદા ભવિષ્ય માટે સરદાર પટેલના સદ્ગુણો દૈનિક જીવનમાં અપનાવવા જણાવ્યું. આ પ્રસંગે યુનિટી માર્ચ, દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન અને રાજભાષા-હિન્દીમાં એકતાની પ્રતિજ્ઞા લેવાઈ.

Advertisement

ભારતના લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મોત્સવ નિમિત્તે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે તા. 31 ઓક્ટોબર, 2025ના રોજ "રાષ્ટ્રીય એકતા દિવસ"ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા એનએફએસયુના કુલપતિ અને 'પદ્મશ્રી'થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.

સરદાર પટેલના સદ્ગુણો દૈનિક જીવનમાં અપનાવો: ડૉ. વ્યાસ

Advertisement

એનએફએસયુના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે પોતાના અધ્યક્ષીય સંબોધનમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ના આદર્શો પ્રત્યે એનએફએસયુના અડગ સમર્પણનો પુનરોચ્ચાર કર્યો હતો. ડૉ. વ્યાસે ઉપસ્થિત સૌને સરદાર વલ્લભભાઈ પટેલના સદ્ગુણોને દૈનિક જીવનમાં અપનાવવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા મૂલ્યો-સદ્ગુણો જ ભારતના ઉમદા રાષ્ટ્રીય ભવિષ્યનો માર્ગ મોકળો કરે છે. ડૉ. વ્યાસે "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના આદર્શોને ચરિતાર્થ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દસ્તાવેજી ફિલ્મ અને યુનિટી માર્ચનું આયોજન

"રાષ્ટ્રીય એકતા દિવસ"ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરદાર પટેલના જીવન સંબંધિત પુસ્તક પ્રદર્શન પણ યોજાયું હતું. યુનિવર્સિટીના પરિસરમાં વોલ ઓફ યુનિટી માં પટેલના સીમાચિહ્નો અને અવતરણો દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે યુનિટી માર્ચ સામૂહિક એકતાનું પ્રતીક બની હતી.

રાજભાષા-હિન્દીમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની પ્રતિજ્ઞા

આ પ્રસંગે એનએફએસયુના અધ્યાપકગણ અને સ્ટાફ દ્વારા રાજભાષા-હિન્દીમાં "રાષ્ટ્રીય એકતા દિવસ"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રતિજ્ઞામાં રાષ્ટ્રીય અખંડિતતા, વિવિધતામાં એકતા અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કલ્પના કરાયેલ સશક્ત, અખંડ ભારતના દૂરંદેશી પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાના આદર્શોને સમર્થનની પુષ્ટિ કરવામાં આવી હતી. એનએફએસયુના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement